ગુજરાતમાં બે દિવસ બાદ વધશે વરસાદનું જોરઃ 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના | મુંબઈ સમાચાર
અમદાવાદ

ગુજરાતમાં બે દિવસ બાદ વધશે વરસાદનું જોરઃ 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અમદાવાદઃ રાજ્યમાં મુશળધાર વરસાદ બાદ હાલ મેઘરાજાએ વિરામ લીધો છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં બે દિવસ ફરી વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું હતું.

શનિવારે સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી સહિત દમણ, દાદરા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. રવિવારે હવામાન વિભાગે 14થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગ દ્વારા 15 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.

આપણ વાંચો: છ દિવસ મુશળધાર વરસાદ બાદ આજે મુંબઈમાં હવામાન કેવું રહેશે? આ ટ્રેનો રદ રહેશે

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના આંકડા મુજબ, કચ્છમાં સિઝનનો સૌથી વધુ 135.91 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 107.76 ટકા છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.70 ટકા, પૂર્વ મધ્યમાં 110.10 ટકા અને સૌરાષ્ટ્રમાં 93.36 ટકા વરસાદ વરસ્યો છે. નર્મદા ડેમ તેની કૂલ ક્ષમતાનો 90.37 ટકા ભરાયેલો છે, જ્યારે 206 જળાશયમાં 88.68 ટકા જળ સંગ્રહ છે.

રાજ્યમાં હાલ 138 ડેમ હાઇ એલર્ટ પર છે, જ્યારે 107 ડેમ 100 ટકા ભરાયેલા છે. રાજ્યમાં પંચાયત હસ્તકના 149 સહિત કૂલ 181 રોડ રસ્તા બંધ છે. બનાસકાંઠાની 19 સહિત રાજ્યમાં એસટીના કૂલ 21 રૂટ બંધ છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button