અમદાવાદ

રેલવે મુસાફરો ખાસ નોંધજો! સાબરમતી-જોધપુર વંદે ભારત સહિત ત્રણ ટ્રેનોના સમયમાં ફેરફાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ મંડળની ત્રણ મહત્વની ટ્રેનોના સમયપત્રકમાં આંશિક ફેરફાર કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પરિવર્તન આગામી ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬થી અમલમાં આવશે. આ ફેરફાર અંતર્ગત સાબરમતી-જોધપુર વંદે ભારત એક્સપ્રેસ (૧૨૪૬૨) હવે સાબરમતીથી ૧૬:૪૫ને બદલે ૧૬:૫૫ વાગ્યે ઉપડશે અને મહેસાણા ૧૭:૩૮ વાગ્યે પહોંચશે. તેવી જ રીતે, સાબરમતીથી આગ્રા કૅન્ટ અને ગ્વાલિયર જતી એક્સપ્રેસ ટ્રેનો પણ હવે નિર્ધારિત સમય કરતાં ૫ મિનિટ મોડી એટલે કે ૧૭:૦૦ વાગ્યે પ્રસ્થાન કરશે.

આ ઉપરાંત, સાબરમતી-મહેસાણા ડેમુ (૭૯૪૩૧) ટ્રેનના સમયમાં પણ ફેરફાર કરાયો છે, જે હવે સાબરમતીથી ૧૭:૧૦ વાગ્યે રવાના થશે. આ ડેમુ ટ્રેન માર્ગમાં આવતા ચાંદખેડા, ખોડિયાર, કલોલ, ડાંગરવા અને આંબલિયાસણ સહિતના તમામ સ્ટેશનો પર સુધારેલા સમય મુજબ રોકાણ કરીને સાંજે ૧૮:૨૮ વાગ્યે મહેસાણા પહોંચશે.

સાબરકાંઠામાં દોડશે ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ

હિંમતનગર અને ખેડબ્રહ્મા વચ્ચેના નવનિર્મિત 55.672 કિમી લાંબા બ્રોડગેજ રેલ્વે સેક્શનના વિદ્યુતીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ સમગ્ર રૂટને 25 kV, 50 Hz AC ઇલેક્ટ્રિક ટ્રેક્શન સિસ્ટમથી સજ્જ કરવામાં આવ્યો છે. આ કામગીરી પૂર્ણ થતાં હવે આ રેલ્વે સેક્શન પર પેસેન્જર અને માલવાહક ગાડીઓ (ફ્રેટ સર્વિસ) માટે ઇલેક્ટ્રિક લોકોમોટિવ્સ દોડાવવાની સત્તાવાર મંજૂરી આપી દેવામાં આવી છે, જેનાથી રેલ વ્યવહાર વધુ ઝડપી અને પર્યાવરણને અનુકૂળ બનશે.

આ પણ વાંચો અંધેરી પશ્ચિમમાં ફૂટપાથ પરથી ૨૦૦ ગેરકાયદે ફેરિયાઓને હટાવ્યા

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button