અમદાવાદ

સાયબર ફ્રોડનો આતંક: અમદાવાદમાં ONGC અધિકારીને ડિજિટલ અરેસ્ટ કરી ₹1.36 કરોડ પડાવ્યા, મોરબીના શિક્ષક દંપતી પણ બન્યા શિકાર

મોરબીમાં શિક્ષક દંપતીના બેંક એકાઉન્ટમાંથી ₹24.34 લાખ ઉપડી ગયા

અમદાવાદ: આજના ઈન્ટરનેટના યુગમાં સાયબર ગઠિયાઓ નવા નવા કિમિયા અપનાવીને સાયબર ક્રાઇમને અંજામ આપતા હોય છે. આવા જ બે કિસ્સાઓથી ખળભળાટ મચી ગયો છે. અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ઓએનજીસીમાં નોકરી કરતા 51 વર્ષીય મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી કુલ 1.36 કરોડ રૂપિયા પડાવવાનો બનાવ બન્યો હતો. આવો જ એક કિસ્સો મોરબીમાંથી પ્રકાશમાં આવ્યો હતો જ્યાં એક શિક્ષક દંપતીએ વોટ્સએપમાં મોકલેલી આરટીઓ એપીકે ફાઇલ ખોલતા જ બેન્ક ખાતામાંથી ૨૪.૩૪ લખ રૂપિયા ઉપડી ગયા હતા.

ડિજિટલ એરેસ્ટ કરી 1.36 કરોડ રૂપિયા પડાવ્યા

મળતી વિગતો અનુસાર અમદાવાદના ગોતા વિસ્તારમાં રહેતા અને ONGCમાં નોકરી કરતા 51 વર્ષીય મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી કુલ 1.36 કરોડ રૂપિયા પડાવવાનો બનાવ બન્યો હતો. તે મહિલાને કેટલાક વ્યક્તિઓએ 31 મેના રોજ અજાણ્યા નંબર પરથી ફોન કરીને ટ્રાઈના અધિકારીની ઓળખ આપી હતી. ત્યાર બાદ મહિલાને ડિજિટલ એરેસ્ટ કરી તેમની પાસેથી અલગ અલગ ટ્રાન્જેક્શન કરાવી કુલ 1.36 કરોડ રૂપિયા પડાવ્યા હતા. જોકે, આરોપીઓએ વધુ 50 લાખ રૂપિયાની માંગ કરતા મહિલાએ તેમના સ્વજનને આ અંગે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાઈ આવ્યું હતું. જેથી મહિલાએ આ અંગે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી હતી. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.

ગઠિયાઓએ મહિલાને ટ્રાઇના અધિકારી તરીકે ફોન કરીને બેંક એકાઉન્ટમાં મની લોન્ડરીંગની બે કરોડની રકમ હોવાનું કહીને સમગ્ર કૌભાંડ આચર્યું હતું. આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. શહેરના ગોતામા વિસ્તારમાં રહેતા ત્રિવેણીબેન પટેલ ચાંદખેડા ઓએનજીસીમાં સિનિયર આસીટન્ટ તરીકે નોકરી કરે છે. ગત ૩૧મી મે ના રોજ તેમને અજાણ્યા મોબાઇલ નંબરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે તેમને કહ્યું હતું કે તે ટેલીકોમ રેક્યુલેટર ઓથોરીટીમાંથી વાત કરે છે. તમારો ફોન બે કલાકમાં બંધ થઇ જશે. થોડીવાર પછી પોલીસના ડ્રેસ પહેરેલા વ્યક્તિએે સીબીઆઇના અધિકારી તરીકે ઓળખ આપીને કહ્યુ હતું કે તમારા કેનેરા બેંકના એકાઉન્ટમાં બે કરોડ રૂપિયાનું કાળુ નાણું છે અને આ બેંક એકાઉન્ટ આધાર કાર્ડથી લીંક છે. જેથી તમારા પર કેસ કરીને ડીજીટલ એરેસ્ટ કરવા માટે વોરન્ટ છે અને કોલ કરનારે વોટ્સએપ પર સુપ્રિમ કોર્ટના સિક્કાવાળો લેટર મોકલ્યો હતો.

ત્રિવેણીબેનને એરેસ્ટ કરીને કોર્ટ રૂમનો વિડીયો બતાવીને જજે તેમની પાસેથી આધાર કાર્ડની જોવા માંગી હતી અને તેમને પુછવામાં આવ્યું હતું કે એકાઉન્ટમાં જેટલા નાણાં હોય તેનું વેરીફીકેશન આરબીઆઇ દ્વારા કરવાનું છે. જેથી ત્રિવેણીબેને ૩૬ લાખ રૂપિયા અન્ય એક બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. આ ઉપરાંત, ત્રિવેણીબેનના માતાના બેંક એકાઉન્ટમાંથી તેમજ ફીક્સ ડીપોઝીટના નાણાં મળીને કુલ ૧.૩૬ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યારબાદ મકાન વેચીને પણ નાણાંની માંગણી થતા ત્રિવેણીબેને તેમના સગાને આ બાબતે જાણ કરતા તેમની સાથે છેતરપિંડી થયાનો ખ્યાલ આવ્યો હતો. આ અંગે સાયબર ક્રાઇમે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

મોરબીમાં બેંક એકાઉન્ટમાંથી ₹24.34 લાખ ઉપડી

આવો જ એક કિસ્સો મોરબીમાંથી પ્રકાશમાં આવ્યો છે જ્યાં એક શિક્ષક દંપતીએ વોટ્સએપમાં મોકલેલી આરટીઓ APK ફાઇલ ખોલતા જ બેન્ક ખાતામાંથી 24.34 લાખ રૂપિયા ઉપડી ગયા હતા. મળતી વિગતો અનુસાર મોરબીના ન્યુ ચંદ્રેશનગર શેરી નંબર 2માં રહેતા કાજલબેન સવજીભાઈ ગામી સાયબર ઠગાઈનો ભોગ બન્યા હતા. તેમના બેંકના એકાઉન્ટમાંથી ₹24.34 લાખ જેટલી રકમ ઉપાડી લેવામાં આવી હતી. બનાવની વિગત અનુસાર, કાજલબેનના પતિના મોબાઈલ પર વોટ્સએપમાં આરટીઓ ચલણની APK ફાઈલનો એક મેસેજ આવ્યો હતો. તેમના પતિએ અજાણતામાં આ મેસેજ કાજલબેનના મોબાઈલ પર ફોરવર્ડ કર્યો અને કાજલબેને જ્યારે આ એપીકે ફાઈલ ખોલી, ત્યારે તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો.

હેકર્સ દ્વારા તરત જ કાજલબેનના બેંકના ખાતામાંથી ₹24,34,709ની રકમ અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લેવામાં આવી. આ ઘટનાની જાણ થતાં જ કાજલબેને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક મોબાઈલ નંબર અને અન્ય બેંક એકાઉન્ટ ધારકો સહિત કુલ આઠ વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધી, આરોપીઓને પકડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો…કચ્છમાં ફરી એક વૃદ્ધ બન્યા સાયબર ફ્રોડનો શિકારઃ નવી મોડસ ઑપરેન્ડી તમે પણ જાણી લો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button