Top Newsઅમદાવાદ

શું ગુજરાતમાં બીજો વાઘ આવ્યો? જાણો કેમ શરૂ થઈ ચર્ચા

અમદાવાદઃ રાજ્યના રતનમહાલના જંગલમાં ગત મહિને વાઘની હાજરીના પુરાવા મળ્યા હતા. જંગલમાં લાગેલા વનવિભાગના કેમેરામાં વાઘ ટ્રેપ થયો હતો. ગુજરાતમાં વાઘ લુપ્ત થયાના ઘણા વર્ષો પછી ફરી જંગલમાં તે ફરી દેખવા મળ્યો હતો. જોકે આ વાઘ પાછો જતો ન રહે તે માટે વાઘણને અભયારણ્યમાં લાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ દરમિયાન રાજ્યમાં વધુ એક વાઘ જોવા મળ્યો હોવાની ચર્ચા વહેતી થઈ છે. વન વિભાગ આ વાઘ રતનમહાલ અભયારણ્યમાં 10 મહિનાથી રહે છે તે જ છે કે બીજો કઈ તે નક્કી કરવામાં લાગ્યું છે.

સ્થાનિક વોચમેન દ્વારા વાઘ જોવા મળ્યાની પુષ્ટિ કરવામાં આવી હતી. જેના કારણે વન અધિકારીઓએ વાઘની હિલચાલ પર નજર રાખવા માટે મધ્ય પ્રદેશની સરહદ પર દેખરેખ વધારી હતી અને વધારે સીસીટીવી લગાવ્યા હતા. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, વાઘને જોયા પછી વોચમેને ડરી ગયો હતો અને તેને પણ આવી ગયો હતો. સૂત્રોએ જણાવ્યું કે, વાઘ તેની સામે આવી ગયો હતો અને આ કારણે તે ડરી ગયો હતો.

સૂત્રો મુજબ, હાલમાં પગના નિશાનની તપાસ કરી રહ્યા છીએ. આ વાઘ છેલ્લા 10 મહિનાથી રતનમહાલમાં રહે છે કે પછી રાજ્યમાં નવો વાઘ આવ્યો તેની તપાસ કરી રહ્યા છીએ વાઘને છેલ્લે રતનમહાલથી લગભગ 15 કિમી દૂર તેના લાક્ષણિક પ્રાદેશિક વિસ્તાર 80 થી 100 ચોરસ કિમીની અંદર જોવામાં આવ્યો હતો. વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે છોટાઉદેપુરમાં જોવા મળેલો વાઘ અભયારણ્યથી લગભગ 2 કિમી દૂર સગટાકા બારિયા ગામ તરફ પણ લગભગ 2 કિમી દૂર જોવા મળ્યો હતો.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું હતું કે, ત્યાં બે શક્યતાઓ હોઈ શકે છે: એક તો એ કે વાઘ રાજ્યમાં તેનો વિસ્તાર વધારી રહ્યો છે, અથવા તે તેના મૂળ વતન મધ્યપ્રદેશમાં પાછો જઈ રહ્યો છે અને પાછો આવી રહ્યો છે. જોકે, રતનમહાલમાં તેની હાજરી પર સતત નજર રાખવામાં આવી રહી છે. એવા થોડા કિસ્સાઓ છે જ્યાં વાઘ ચારથી પાંચ દિવસ માટે ગાયબ હતો. વાઘ મધ્યપ્રદેશ જવાની શક્યતાને નકારી શકાય નહીં.

રતનમહાલનો વાઘ બહાર જઈને પાછો આવે છે કે કેમ તે જાણવા માટે સમગ્ર મધ્યપ્રદેશ સરહદ પર વધુ સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લીધો છે. પ્રાણી લગભગ 10 મહિનાથી ગુજરાતમાં રહે છે, તે જોતાં એ વાતની ખાતરી થઈ છે કે આ પ્રદેશ અને રહેઠાણ વાઘ માટે અનુકૂળ છે. પગના નિશાન તે જ વાઘના છે કે નહીં તેની ખાતરી કરી રહ્યા છીએ.

વાઘણ લાવવા શું દલીલ કરવામાં આવી

મળતી વિગત પ્રમાણે, રાજ્યના વન વિભાગ દ્વારા કેન્દ્રીય વન મંત્રાલયને પત્ર લખીને આશરે પાંચ વર્ષના આ વાઘ માટે વાઘણની માંગણી કરવામાં આવી છે. વન વિભાગે આ વાઘે ગુજરાતને પોતાનું ઘર બનાવ્યું હોવાની દલીલ કરી છે. આ વિનંતીને યોગ્ય ઠેરવતા સૂત્રોએ જણાવ્યું હતું કે વાઘ છેલ્લા નવ મહિનાથી એકલો રહે છે અને લાંબો સમય એકલો રહી શકતો નથી. ઉપરાંત, તેમની સંખ્યા વધારવા માટે પ્રજનન જરૂરી છે.

દાહોદ જિલ્લો, જ્યાં રતનમહાલ અભયારણ્ય આવેલું છે, તે મધ્યપ્રદેશના ઝાબુઆ-કાઠીવાડા પ્રદેશને અડીને આવેલો છે, જ્યાં લગભગ 785 વાઘ છે. વન અધિકારીઓના મતે, ત્યાંથી વાઘ સરળતાથી ગુજરાતમાં આવી શકે છે. અહીંનું પર્યાવરણ અને વાતાવરણ સમાન છે. પડોશી રાજ્યમાં વધતી વસ્તીને કારણે, તેમાંથી કેટલાક વધુ સલામતી અને જગ્યાની શોધમાં દૂર ખસી ગયા હશે.

આ વર્ષ પહેલાં, ગુજરાતમાં છેલ્લો વાઘ 2001 માં જોવા મળ્યો હતો, ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. હવે, આશા ફરી જાગી હોવાથી, ગુજરાતે વાઘના નિવાસસ્થાનના વિકાસ માટે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી પાસેથી માર્ગદર્શન માંગ્યું છે. નવ મહિના પહેલાં રતનમહાલમાં વાઘ જોવા મળ્યો ત્યારથી, રાજ્યનો વન વિભાગ કેમેરા ટ્રેપ અને ફિલ્ડ ટીમોનો ઉપયોગ કરીને સતત તેના પર નજર રાખી રહ્યો છે.

આ પણ વાંચો…મહીસાગરના રતનમહાલ જંગલમાં વાઘે દેખા દીધી, વન વિભાગ આવી ગયું હરકતમાં…

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button