ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે | મુંબઈ સમાચાર

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર: ત્રણ દિવસના ટૂંકા સત્રમાં મહત્ત્વના વિધેયકો રજૂ થશે

અમદાવાદ: ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આઠથી ૧૦ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. આ સત્ર ત્રણ દિવસનું રહેશે, જેમાં સરકારી કામકાજ અને વિવિધ સરકારી વિધેયકો ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ ત્રણ દિવસના ટૂંકાગાળાના સત્રમાં વિવિધ પ્રશ્નો આવરી લેવામાં આવશે. રાજ્યપાલ દ્વારા વિધાનસભાના સાતમા સત્રનું આહ્વાન કરવામાં આવ્યું હતુ.

ઓનલાઈન અને પ્રત્યક્ષ રીતે પ્રશ્નો આપી શકશે

આ સંદર્ભે વિગતો આપતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ૧૫મી વિધાનસભાના સાતમાં સત્રનું આહ્વાન કર્યું છે, જે અંતર્ગત આગામી તા. ૮, ૯ અને ૧૦ સપ્ટેમ્બર, ૨૦૨૫ દરમિયાન ત્રણ દિવસ ‘ચોમાસું સત્ર’ યોજાશે. ગુજરાત વિધાનસભા ખાતે આગામી ૨૦ ઓગસ્ટ સુધી ધારાસભ્યયો પોતાના પ્રશ્નો ઓનલાઇન તેમ જ પ્રત્યક્ષ એમ બંને પદ્ધતિથી આપી શકશે.

જીએસટી, ફેક્ટરી એક્ટમાં સુધારા વિધેયકના વટ હુકમ રજૂ થશે

વધુમાં તેમણે જણાવ્યું હતું કે તા. ૮ થી ૧૦ સપ્ટેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન સરકારી કામકાજમાં જી. એસ. ટી. સુધારા વિધેયક તેમ જ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયકના વટ હુકમ વિધાનસભામાં રજૂ થશે.

જો સરકાર પાસે અન્ય કોઈ બાકીનું કામકાજ હશે તો તે પણ રજૂ થતાં આગળ લેવામાં આવશે. આ ઉપરાંત તા. ૬ સપ્ટેમ્બર, ૨૦૨૫ શનિવારના રોજ બોલાવવામાં આવેલી કામકાજ સલાહકાર સમિતિની મીટિંગમાં વિધાનસભા કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવશે.

આ પણ વાંચો…આવતીકાલથી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર શરૂ થશે

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button