દક્ષિણ ગુજરાત પર ફરી મેઘમહેર, માછીમારોને 20 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના | મુંબઈ સમાચાર
અમદાવાદ

દક્ષિણ ગુજરાત પર ફરી મેઘમહેર, માછીમારોને 20 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના

અમદાવાદઃ રાજ્યમાં ચોમાસું ફરીથી સક્રિય થયું છે. રાજ્યમાં સાંજે 6 વાગ્યા સુધીમાં 15 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. વલસાડના કપરાડામાં 2.44 ઇંચ, વ્યારામાં 1.46 ઇંચ, વાલોડમાં 0.94 ઇંચ, ધરમપુરમાં 0.51 ઇંચ, ચિખલીમાં 0.35 ઇંચ, ડોલવણમાં 0.31 ઇંચ, વઘઈમાં 0.28 ઇંચ, મહુવા(સુરત)માં 0.24 ઇંચ, સોનગઢમાં 0.24 ઇંચ વરસાદ વરસ્યો હતો. માછીમારોને 20 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી હતી.

રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 108.34 ટકા વરસાદ

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગના જણાવ્યા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સરેરાશ 1.77 મિમિ વરસાદ પડ્યો હતો. રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 108.34 ટકા છે. કચ્છમાં 135.95 ટકા, ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, પૂર્વ મધ્યમાં 110.21 ટકા, સૌરાષ્ટ્રમાં 93.92 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112.02 ટકા વરસાદ વરસ્યો છે.

આપણ વાંચો: રાજ્યમાં ચોમાસું ફરી સક્રિય થયું: 142 તાલુકામાં વરસાદ નોંધાયો…

રાજ્યમાં હાલ 114 રોડ રસ્તા બંધ

સરદાર સરોવર ડેમ 92.67 ટકા ભરાયેલો છે. રાજ્યના અન્ય 206 જળાશયો તેની કુલ સંગ્રહ ક્ષમતાના 91.15 ટકા ભરાયેલા છે. રાજ્યમાં હાલ 145 ડેમ હાઈ એલર્ટ પર છે. જ્યારે 111 ડેમ સો ટકા ભરાયેલા છે.

63 ડેમ 70 થી 100 ટકા, 13 ડેમ 50 થી 70 ટકા, 9 ડેમ 25 થી 50 ટકા ભરાયેલા છે. જ્યારે 9 ડેમમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ છે. 12 ડેમ એલર્ટ અને 17 જેમ વોર્નિંગ પર છે. રાજ્યમાં હાલ 114 રોડ રસ્તા બંધ છે.

19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગે 19 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમ વરસાદની સંભાવનાઓ છે. રાજ્યમાં પવનની ગતિ 30થી 40 કિ.મી પ્રતિ કલાક રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતા વરસાદની આગાહી કરવામાં આવી હતી. નવરાત્રિમા હળવા વરસાદની શક્યતા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button