
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ ગુરુવારે 12મી જૂનના રોજ ટેક ઓફ કર્યાની મિનિટોમાં જ ક્રેશ થઈ ગયું અને સેંકડો લોકોએ જાન ગુમાવ્યા. આ દુર્ઘટનાની અનેક લોકો પર ગંભીર અસર જોવા મળી અને આ લોકોમાં જ બોલીવૂડ એક્ટ્રેસ અને મોડેલ મંદિરા બેદીનો સમાવેશ પણ થાય છે. મંદિરા બેદીએ ખુ આ વિશે વાત કરી છે. આવો જોઈએ મંદિરાએ આ વિશે શું કહ્યું છે અને આ ઘટનાની તેના પર શું અસર જોવા મળી-

મંદિરા બેદીએ આ ઘટના વિશે વાત કરતાં સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાની તેના મન પર શું અસર થઈ એ વિશે વાત કરી હતી. મંદિરાએ ખુલાસો કર્યો હતો કે આ ઘટનાની તેના મન પર ખૂબ જ ખરાબ અસર થઈ હતી. તેણે પોતાની પોસ્ટમાં શેર કર્યું હતું કે આ ઘટનાના આઘાતમાંથી બહાર આવવા માટે તેણે કાઉન્સેલરની મદદ લેવી પડી હતી.
અમદાવાદ પ્લેન ક્રેશમાં Amitabh Bachchanએ પણ ગુમાવી નજીકની વ્યક્તિને, પોસ્ટ કરીને કહ્યું…
એક્ટ્રેસે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે હું આ ઘટનાના આઘાતમાંથી બહાર જ નહોતી આવી શકતી. મને આ વાત અંદર-અંદર જ ખાઈ રહી હતી. આ ઘટનાને કારણે મારા તમામ કામ પર અસર જોવા મળી રહી હતી પછી એ બાળકો સાથે સમય પસાર કરવાની વાત જ કેમ ના હોય.
મંદિરા બેદીએ પોતાના ઓફિશિયલ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો શેર કરવાની સાથે તેણે જ લખ્યું હતું કે અમદાવાદ પ્લેન ક્રેશ બાદથી જ મને સતત એક બોજ અનુભવાઈ રહ્યો હતો. દરેક સમયે એક ઉદાસી અનુભવાઈ રહી હતી. મારા રોજના કામકાજ હોય કે પછી બાળકો સાથે સમય પસાર કરવાની વાત હોય એની ઉપર અસર જોવા મળતી હતી. પછી મેં નક્કી કર્યું કે હું એકલી આ નહીં સહન કરું અને એક કાઉન્સેલર સાથે વાત કરીશ. જો તમે પણ ચિંતિત, અસંતુલિત અનુભવી રહ્યા છો સમજી લો કે તમે એકલા નથી.
અમદાવાદ પ્લેન ક્રેશ: 108 એમ્બ્યુલન્સની સેવા ‘સંજીવની’ બની, જાણો A2Z કામગીરી
મંદિરા બેદીની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહી છે. ફેન્સ તેના પર લાઈક્સ અને કમેન્ટ કરી રહ્યા છે. તમે પણ આ વાઈરલ પોસ્ટ ના જોઈ હોય તો અત્યારે જ જોઈ લો…
બીજા શબ્દોમાં કહીએ તો મંદિરા બેદી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના ફોટો અને વીડિયો શેર કરે છે. મંદિરાની આ પોસ્ટ ચોક્કસ જ લોકોમાં મેન્ટલ હેલ્થને લઈને જાગરૂકતા લાવવાનું કામ કરશે, એવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે.