અમદાવાદ

કડી અને વિસાવદર પેટા ચૂંટણીનું આવતીકાલે મતદાનઃ વિસાવદરમાં 16, કડીમાં 8 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે

વરસાદની આગાહીના કારણે ઓછું મતદાન થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાતની કડી અને વિસાવદર પેટા ચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે. સવારે 7 કલાકથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. બંને બેઠકો પર ત્રિ-પાંખીયો જંગ જામશે. વિસાવદર બેઠક પર 16 ઉમેદવારો અને કડી વિધાનસભા બેઠક પર 8 ઉમેદવારો મેદાનમાં છે. જોકે વરસાદની આગાહીના કારણે ઓછું મતદાન થવાની શક્યતા છે.

વિસાવદરનું ચૂંટણી ચિત્ર

જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા કિરીટભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. જેની સામે કોંગ્રેસે નીતિનભાઇ રાણપરિયાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલીયા છે.

આ ત્રણ મુખ્ય ઉમેદવાર ઉપરાંત આ બેઠક પરથી કિશોરભાઇ કાનકડ, તુલશી લાલૈયા, નિરૂપાબેન માધુ, બિનલકુમાર પટેલ, રાજેશકુમાર પટેલ, ભરતભાઇ નારીગરા, યુનુસભાઇ સોલંકી, રજનીકાંત વાઘાણી, રાજ પ્રજાપતિ, સુરેશ માલવીયા, રોહીત સોલંકી, સંજયભાઇ ટાંક અને હિતેશભાઇ વઘાસીયા પણ ચૂંટણી લડી રહ્યા છે.

આપણ વાંચો: વિધાનસભાની કડી અને વિસાવદર બેઠક પર નવી ગાઈડ લાઈન મુજબ પેટા ચૂંટણી યોજાશે

કડીમાં કોની વચ્ચે થશે કાંટાની ટક્કર

કડી વિધાનસભા બેઠક પર ભાજપે રાજુભાઇ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ જગદીશભાઇ ચાવડાને અને કોંગ્રેસે રમેશભાઇ ચાવડાને ટિકિટ આપી છે. આ ઉપરાંત ડો.ગિરીશભાઇ કાપડીયા, જયેન્દ્રભાઇ રાઠોડ, પ્રવિણભાઇ ચૌહાણ, કમલેશભાઇ મકવાણા અને દશરથભાઇ મકવાણા ચૂંટણી લડી રહ્યા છે.

વિસાવદરના 29 ગામોમાં ગ્રીન બુથ બનાવાશે

વિસાવદર વિધાનસભા મત વિસ્તારના 15 ગામોમાં 29 જેટલા ગ્રીન બુથ બનાવવામાં આવશે. આવા મતદાન બૂથોને તોરણ અને ફુલ ઝાડના કુંડાથી સુશોભિત કરાશે. આ મતદાન મથકો આંબા – આસોપાલવના તોરણ, ફૂલ ઝાડના કુંડા વગેરેથી સુશોભિત કરવામાં આવશે. આ સાથે વૃક્ષારોપણ કરવામાં આવશે..

આપણ વાંચો: કડી અને વિસાવદરની પેટા ચૂંટણીના પ્રચાર-પડઘમ શમ્યા, મતદાનના દિવસે રજા

નવી ગાઈડલાઈન મુજબ યોજાશે પેટા ચૂંટણી

કડી અને વિસાવદર બેઠકની પેટા ચૂંટણી નવી ગાઇડલાઇન મુજબ યોજાશે. જે મુજબ મતદાન મથકના પ્રવેશ દ્વારથી બૂથ 100 મીટર દૂર ઊભા કરી શકાશે, બુથ તથા ત્યાં હાથ ધરવામાં આવેલી પ્રવૃતિઓનો ખર્ચ ઉમેદવારના ચૂંટણી ખર્ચ ના ખાતામાં ઉધારવામાં આવશે.

કેમ્પ પર કોઈ પણ પોસ્ટર, ઝંડા, પ્રતીકો કે અન્ય કોઇપણ પ્રકારની પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહીં, બૂથ પર ફક્ત 1 ટેબલ અને 2 ખુરશી રાખી શકાશે, પ્રતિકૂળ વાતાવરણ સામે રક્ષણ મળી શકે તે માટે છત્રી વાળા બુથ રાખી શકાશે, જાહેર અથવા ખાનગી મિલકત પર અતિક્રમણ કરીને બુથ ઉભા કરી શકાશે નહીં, કોઈપણ ધાર્મિક સ્થળો કે તેના પરિસરમાં બુથ ઉભા કરી શકાશે નહીં, કોઈ શૈક્ષણિક સંસ્થા અથવા હોસ્પિટલને લગોલગ બુથ ઉભા કરી શકાશે નહીં, ઉમેદવારોના કેમ્પ સાદા હોય તે સુનિશ્ચિત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button