
નવી દિલ્હીઃ ભારતે વર્ષ 2030માં અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે વિધિવત રીતે દાવેદારી રજૂ કરી હતી. દાવેદારી રજૂ કરવા માટે અંતિમ તારીખ 31 માર્ચ છે. રમતગમત મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર દ્વારા કોમનવેલ્થ ગેમ્સ યોજવા માટે દાવેદારી કરવામાં આવી હતી.
2035 ઓલિમ્પિક્સ માટે અમદાવાદની દાવેદારી પ્રબળ છે, તેથી કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ અમદાવાદને મળે તેવી સંભાવના છે. ભારતે દાવેદરી રજૂ કર્યા બાદ કોમનવેલ્થ સ્પોર્ટ તમામ દાવેદારી ચકાસવાની પ્રક્રિયા કરશે. આ પછી સીજીએફની સામાન્ય સભામાં યજમાન દેશ અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો…ST બસના પ્રવાસીઓ માટે ખુશખબર, આગામી વર્ષ સુધીમાં 2,000 થી વધુ બસ આવશે સેવામાં..
ભારતે 2010માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ સંભાળ્યું હતું. તે સમયે ભારતે 100 મેડલ જીત્યા હતા. જે કોમનવેલ્ષ ગેમ્સમાં અત્યાર સુધીનું ભારતનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. ભારત 1951 અને 1982 એમ બે વખત એશિયન ગેમ્સની યજમાની કરી ચૂક્યું છે.
થોડા સમયે પહેલા રમત ગમત પ્રધાન મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, ભારત વિવિધ રમતોત્સવનું આયોજન કરવા માટે સજજ્ થઈ રહ્યો છે. કોમનવેલ્થ ગેમ્સના યજમાન દેશ મેળવવામાં અગાઉ મુશ્કેલીઓ પડી હતી.