અમદાવાદ

પ્લેન ક્રેશમાં વિશ્વાસ કુમાર કઈ રીતે બચ્યો, હવે નવી થિયરી બહાર આવી, જાણો?

અમદાવાદઃ 12 જૂન, 2025ના રોજ અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં તૂટી પડેલા એર ઈન્ડિયાના વિમાનમાં 242 પૈકી 241 મુસાફરોના મૃત્યુ થયા હતા. વિશ્વાસ કુમાર નામના વ્યક્તિનો આ દુર્ઘટનામાં ચમત્કારીક બચાવ થયો હતો. ઘટના સમય તેનો ભાઈ પણ તેની સાથે વિમાનમાં સવાર હતો. ભાઈને ગુમાવ્યા બાદ તેણે ઈજાગ્રસ્ત હાલતમાં અંતિમયાત્રામાં સામેલ થયો હતો. જેમાં તે ધ્રુસકેને ધ્રુસકે રડતો હતો અને ભાઈને કાંધ આપી હતી.

કેવી રીતે બચ્યો હતો જીવ?

સૂત્રો અનુસાર, વિશ્વાસ કુમારનો જીવ એક સાંકડી ગેપ અને નરમ માટીના કારણે બચ્યો હતો. વિમાન અકસ્માત સમયે તેનું શરીર બે ઇમારતો વચ્ચેની એક જગ્યાએ પડ્યું હતું, જ્યાં પહેલાથી નરમ (ભીની) માટીનો ઢગલો હતો. આ જ ઢગલા પર વિશ્વાસ કુમાર પડ્યા હતા. આ માટીએ તેમને જીવલેણ ઇજાથી બચાવી લીધા હતા.

પ્રારંભિક તપાસમાં એ સામે આવ્યું છે કે જો વિમાનમાં કોઈ આંતરિક વિસ્ફોટ થયો હોત તો સીટ નંબર 11A પર બેઠેલા વ્યક્તિનું બચી શકવાનું અશક્ય હતું. તેથી નિષ્ણાતો માને છે કે તેમના જીવિત રહેવાનું સૌથી મોટું કારણ તેઓ જે સ્થાન પર પડ્યા તે હતું.

એર ઇન્ડિયા પ્લેન ક્રેશની ઘટનાએ આખી દુનિયાને હચમચાવી દીધી હતી. પરંતુ આ જ દુર્ઘટના વચ્ચે એક ચમત્કાર સામે આવ્યો હતો. વિશ્વાસ કુમાર અકસ્માત સ્થળે બહાર નીકળતા જોવા મળ્યા હતા. જેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

આ પણ વાંચો -‏‏‎ અમદાવાદ પ્લેન ક્રેશ: ઇમરજન્સી પાવર સિસ્ટમ ઓન હતી? તપાસમાં નવો ખુલાસો

અમદાવાદના મેઘાણીનગરમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં DNA સેમ્પલ મેચીંગ અને મૃતદેહ સોંપણીની કામગીરી હાલ ચાલી રહી છે. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 208 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. અત્યાર સુધીમાં કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button