વજુભાઈ ડોડિયાના અવસાન બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલને બદનામ કરાતા પોલીસ ફરિયાદ | મુંબઈ સમાચાર
અમદાવાદ

વજુભાઈ ડોડિયાના અવસાન બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલને બદનામ કરાતા પોલીસ ફરિયાદ

અમદાવાદઃ વિરમગામના પૂર્વ ધારાસભ્ય વજુભાઈ ડોડિયાના અવસાન બાદ સોશિયલ મીડિયા પર હાર્દિક પટેલને લઈ એક પોસ્ટ વાયરલ થઈ હતી. આ પોસ્ટ બદલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. વજુભાઈના મૃત્યુ પછી વિરમગામના ધારાસભ્યહાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક શોક સંદેશ પોસ્ટ કર્યો હતો, પરંતુ તે કથિત રીતે એક ટિપ્પણી સાથે વાયરલ થયો હતો જેમાં લખ્યું હતું, બેંક ડિરેક્ટરના મૃત્યુ પછી કેટલો સમય લાગે છે. જેના કારણે હાર્દિક સામે રાજકીય તકવાદના આરોપો લાગ્યા હતા.

હાર્દિક પટેલે તરત જ સ્પષ્ટતા કરી કે આ ટિપ્પણી તેમની મૂળ પોસ્ટમાં નહોતી અને તેમના વિરોધીઓએ તેમને બદનામ કરવા માટે તેમાં છેડછાડ કરી હતી. તેમની મૂળ પોસ્ટના સ્ક્રીનશોટ શેર કરતા તેમણે કહ્યું, મેં વજુભાઈ પટેલના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને તેમાં બીજું કંઈ લખ્યું નહોતું.

આપણ વાંચો: સુરત ભાજપના કાર્યાલયમાં ‘મારામારી’નો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો: પોલીસ ફરિયાદ થઈ

આ ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં કેટલાક અસામાજિક તત્વોએ જાણી જોઈને સામાજિક વિખવાદ પેદા કરવા માટે ટિપ્પણી ઉમેરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ફરિયાદ બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી અને સોશિયલ મીડિયા પોસ્ટના સ્ત્રોતની તપાસ કરશે.હાર્દિક પટેલે કહ્યું, મારા દુશ્મનોએ મને બદનામ કરવા માટે આ કર્યું છે. હવે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button