Top Newsઅમદાવાદ

ગુજરાત એટીએસે ધરપકડ કરેલા ત્રણ આતંકી અને અન્ય કેદીઓ વચ્ચે સાબરમતી જેલમાં મારામારી, તપાસ શરુ

અમદાવાદ : ગુજરાત એટીએસ દ્વારા 9 નવેમ્બરના રોજ ધરપકડ કરાયેલા ત્રણ આંતકીઓ અને અન્ય કેદીઓ વચ્ચે સાબરમતી જેલમાં વિવાદ થયો હતો. આ વિવાદે મારામારીનું સ્વરુપ ધારણ કરી લીધું હતું. જેના પગલે પોલીસે આ ઘટનાની તપાસ શરુ કરી છે. જેમાં મળતી માહિતી મુજબ ત્રણ આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદીઓ સાથે બોલાચાલી થઈ હતી. જેની બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે.

ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી

આ અંગે મળતી માહિતી મુજબ એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આતંકીઓની પૂછતાછ બાદ સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જેમાં કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. આ ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે. જેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ આતંકીનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

9 નવેમ્બરના રોજ આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને ઝડપ્યા

ઉલ્લેખનીય છે કે, ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ આઈએસઆઈએસના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. જેમાંથી ડો. સૈયદ અહેમદનો ઈરાદો ખતરનાક હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. તેમજ મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય આતંકી ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંતથી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો.

આ પણ વાંચો…અમદાવાદની સાબરમતી જેલમાંથી હત્યાના ગુનામાં આજીવન કેદની સજા કાપતો કેદી ફરાર થઈ જતાં ચકચાર

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button