જૂનાગઢ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી | મુંબઈ સમાચાર
અમદાવાદ

જૂનાગઢ, ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી

અમદાવાદ: સમગ્ર સૌરાષ્ટ્રમાં ઈદ-એ-મિલાદ-ઉલ-નબીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસ ઇસ્લામ ધર્મના મહાન પયંગમ્બર હઝરત મહંમદ સાહેબ (સ.અ.વ.)ના જન્મ દિવસ ૧૨ રબ્બીઉલની યાદમાં ઉજવાય છે. આ પર્વ નિમિત્તે વિવિધ શહેરોમાં ઝુલુસ કાઢવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈ-બહેનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા.

ભાવનગર શહેરમાં, પીર મહંમદશાહ બાપુની વાડી, ચાવડીગેટ ખાતેથી એક શાનદાર ઝુલુસનું પ્રસ્થાન થયું. આ યાત્રા ઈમામવાડા, અલકા ટોકીઝ, મતવા ચોક, શેલારશા ચોક, આંબાચોક, જુમ્મા મસ્જીદ, હેરીસ રોડ, વોરા બજાર, બાર્ટન લાયબ્રેરી ચોક, હલુરીયા ચોક, હાઈકોર્ટ રોડ, રૂપમ ચોક, ગંગાજળીયા તળાવ, વડવા વોશીંગઘાટ, અને દરબારી કોઠાર જેવા વિસ્તારોમાંથી પસાર થઈને બપોરે શેલારશા ચોકમાં પૂર્ણ થઈ હતી.

આ ઉપરાંત, જૂનાગઢમાં સોરઠ દરગાહથી પણ એક ઝુલુસ નીકળ્યું હતું જે નરસિંહ મહેતાના ચોરા, જેલ રોડ, ચિત્તાખાના ચોક થઈને સુખનાથ ચોકમાં સંપન્ન થયું હતું. તેવી જ રીતે, રાજકોટમાં પણ મુસ્લિમ સમાજ દ્વારા ઈદ-એ-મિલાદ-ઉલ-નબીનું ઝુલુસ કાઢવામાં આવ્યું હતું, જેમાં સમાજના અનેક લોકોએ ભાગ લીધો હતો. આ તમામ ઝુલુસમાં લોકોએ એકતા અને ભાઈચારાનો સંદેશ આપ્યો હતો.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button