અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટના: 162 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 101 મૃતદેહ પરિવારજનોને સોંપાયા

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં એઆઈ-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરાઈ રહી છે. 12 જૂનના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ ક્રેશ થઈ હતી, જેમાં 279 લોકોના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના પછી ડીએનએ સેમ્પલ લઈને મૃતદેહોની ઓળખની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ માહિતી આપતાં કહ્યું હતું કે, મંગળવારે બપોરે 2 વાગ્યા સુધીમાં 162 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા હતા. જ્યારે 101 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યા હોવા હતા.

ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે 10.45 વાગ્યા સુધીમાં 135 ડીએનએ મેચ થયા હતા. 101 મૃતદેહ સોંપાયા છે, જેમાં 5 વ્યક્તિઓ સ્થાનિક છે અને બાકીના પ્લેનના મુસાફરોછે. 12 પરિવારો નજીકના સમયમાં સ્વજનોના પાર્થિવદેહ સ્વીકારવા આવશે, 5 પરિવારો સાથે હોસ્પિટલ તંત્ર સંપર્કમાં છે, જ્યારે 17 પરિવારો બીજા સ્વજનના ડીએનએ મેચની રાહમાં છે. આ ઉપરાંત જિલ્લા દીઠ સોંપવામાં આવેલા પાર્થિવદેહોની વિગતો પૂરી પાડી હતી. જેમાં વડોદરાના 13, અમદાવાદના 30, આણંદના 9, ભરૂચના 4, ગાંધીનગરના 5, મહેસાણાના 5, ખેડાના 10, સુરતના 3, અરવલ્લીના 2, દીવના 4 તથાબોટાદ, જૂનાગઢ, અમરેલી, મહીસાગર, ભાવનગર, ગીર સોમનાથ, નડિયાદ અને રાજકોટના 1 તેમજ અન્ય રાજ્યોમાં ઉદેપુરના 2, જોધપુરના 1, પટનાના 1 અને મહારાષ્ટ્રના 4 મૃતકોના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યા હતા.

ડૉ.રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું હતું કે ‘ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા અત્યંત સંવેદનશીલ હોવાથી અને કાયદાકીય બાબતો પણ સંકળાયેલી હોવાથી આ પ્રક્રિયા ખૂબ જગંભીરતાપૂર્વક અને ઝડપથી પૂર્ણકરવામાં આવી રહી છે. પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવદેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલ અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સી ખડેપગે કામગીરી કરી રહી છે.

આ પણ વાંચો -‏‏‎ કોણ છે રાજુ પટેલ જેને માનવતાની મિસાલ કાયમ કરી

જેમ જેમ પરિણામો આવતા જશે એમ એમ મેચિંગનો દર વધશે અને પ્રક્રિયા ઝડપી બનશે તથા ઓછો સમય લેશે. સાથે જ, તેમણે પરિવારજનો પાર્થિવ દેહ સ્વીકારવા આવે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવતી કામગીરી અને કરવામાં આવેલી વ્યવસ્થા વિશે પણ માહિતી પૂરી પાડી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button