અમદાવાદઆમચી મુંબઈ

આવતા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો કિમ-અંકલેશ્વર પટ્ટો શરૂ થશે

અમદાવાદઃ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર, વડોદરા-મુંબઈ એક્સપ્રેસવેના પેકેજ 5નો ભાગ બનતો કિમ-દહેગામ સ્ટ્રેચ 31 ડિસેમ્બર, 2025 સુધીમાં ટ્રાફિક માટે ખુલ્લો મુકાય તેવી સંભાવના છે. ગયા અઠવાડિયે દિલ્હી-મુંબઈ એક્પ્રેસ વેનો મુદ્દો સંસદમાં પણ ચર્ચાયો હતો.

સેન્ટ્રલાઈઝ્ડ પબ્લિક ગ્રિવરન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમના પોર્ટ્લ પર પ્રોજેક્ટના સુરત યુનીટ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

ફરિયાદીને સંબોધિત પત્રમાં, નેશનલ હાઈ વે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે વડોદરા-મુંબઈ એક્સપ્રેસવે પેકેજ 5, જે કીમથી દહેગામ સુધીના સ્ટ્રેચને આવરી લે છે, તે ચાલુ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની અપેક્ષા છે.

એનએચએઆઈ 1,386 કિમી, આઠ-લેન દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેનું નિર્માણ કરી રહ્યું છે. આ એક્સપ્રેસવેના ભાગ રૂપે, અમદાવાદ, વડોદરા અને સુરત વચ્ચે પણ નવી કનેક્ટિવિટી ઊભી થઈ રહી છે.

આ છ પેકેજોમાંથી, ફક્ત પેકેજ 5 જાહેર જનતા માટે બાકી હતું. પેકેજ 1 થી 3 નું સત્તાવાર ઉદ્ઘાટન થોડા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું, જ્યારે પેકેજ 4 અને 6 ટ્રાફિકની ગતિવિધિને સરળ બનાવવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી બિનસત્તાવાર રીતે કાર્યરત છે.

પેકેજ 5 એ કિમને અંકલેશ્વર સાથે જોડતો અધૂરો ભાગ હતો, જેના કારણે વડોદરા-સુરત કોરિડોર સપૂર્ણપણે કાર્યરત નથી. જોકે, ચોમાસા પછી આ સેગમેન્ટ પર બાંધકામ ઝડપથી થયું હોવાનું સૂત્રો જણાવે છે. લગભગ 93 ટકા કામ હવે પૂર્ણ થયું છે અને વર્ષના અંત સુધીમાં ઉદઘાટન થવાની શક્યતા છે.

આપણ વાંચો:  ગુજરાતમાં ‘ડિજિટલ અરેસ્ટ’નો આતંક: 3 લોકોની જીવનભરની મૂડી પોલીસે બચાવી, અને…

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button