પહલગામ હુમલાથી અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાઃ સાત સમંદર પાર કરીને બીમાર માને મળવા આવેલી દીકરી પરત ફરી નહીં…

અમદાવાદ: બારમી જૂનના અમદાવાદમાં થયેલી ભયાનક વિમાન દુર્ઘટનામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા અને અસંખ્ય પરિવારોએ પણ ક્યારેય ભૂલી શકાય નહીં એ આકરી પીડા આપી. આ દુર્ઘટનામાં ભોગ બનેલાઓમાં બ્રિટનમાં સ્થાયી થયેલા મૂળ ગુજરાતના વતની અબ્ધીબેન પટેલ પણ સામેલ છે, જેઓ અનેક પડકારોનો સામનો કરીને બીમાર માતાને મળવા તો પહોંચ્યા પણ પરત ફરી શક્યા નહીં, જેમણે પોતાના ૮ વર્ષના પુત્રને મૂકી ગયા હતા.
માતાને મળવા માટે આવ્યા હતા ભારત
૪૦ વર્ષીય અબ્ધીબેન પટેલ જેઓ બ્રિટનમાં સલૂન મેનેજર તરીકે કામ કરતાં હતા. તેમના માતા ગુજરાતમાં બીમાર હોવાથી તેમને મળવા ભારત આવવા ઘણા સમયથી પ્રયાસ કરતાં હતા, પરંતુ પહલગામ આતંકવાદી હુમલા બાદ વધેલા તણાવ અને એરસ્પેસ બંધ થવાને કારણે ફ્લાઇટ્સ રદ થઈ હતી. એક બાળકની માતા હોવા છતાં અબ્ધીબેન કોઈ પણ ભોગે ભારતમાં બીમાર માતાની ખબર લેવા માંગતા હતા, પરંતુ તેઓ પોતાના પુત્ર મીરને બ્રિટનમાં એકલો છોડવા માંગતા ન હતા. અદમ્ય અનિચ્છાએ તેઓ દીકરા મીરને બ્રિટનમાં છોડીને પોતાની બીમાર માતાને મળવા ભારત આવ્યા, પરંતુ દુર્ભાગ્યવશ તેઓ પોતાના પુત્ર પાસે ક્યારેય પાછા પહોંચી શક્યા નહીં.
દીકરાને લઈને સતત રહેતા હતા ચિંતિત
અબ્ધીબેનને શનિવારે કામ પર પાછા ફરવાનું હતું. તેના એક દિવસ પહેલા જ તેમણે પોતાનું કામ પૂરું કરી દીધું હતું અને નોર્થમ્પ્ટનમાં ઝોન બ્યુટી સ્ટુડિયોમાં પટેલના નજીકના મિત્ર અને સહકર્મી આતિફ કરીમે મીડિયાને જણાવ્યું હતું કે પોતાના પુત્રને પહેલીવાર એકલો છોડીને આવતા ખૂબ જ ગભરાયેલા હતા. તેઓ હંમેશાં કહેતા કે તેમનો પુત્ર કેટલો શરમાળ છે અને તેઓ બંને એકબીજા સાથે ખૂબ જ ગાઢ જોડાયેલા હતા. સહકર્મીઓએ કહ્યું હતું કે અબ્ધીબેનની આખી દુનિયા તેમના પુત્ર મીરની આસપાસ જ રચાયેલી હતી.
આ પણ વાંચો - અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બે ડોકટરોનું સારવાર દરમિયાન મૃત્યુ…
૨૦૧૨માં ગુજરાતથી યુકે ગયા હતા
અબ્ધીબેન પટેલ ૨૦૧૨માં ગુજરાતથી યુકે ગયા હતા અને ૨૦૧૬માં સલૂનમાં કામ કરવાનું શરૂ કર્યું હતું, જ્યાં તેમની સખત મહેનતથી તેઓ મેનેજર બન્યા હતા. અબ્ધીબેન પટેલ એર ઇન્ડિયા ફ્લાઇટ (૧૭૧)ના 242 મુસાફરોમાંના એક હતા, જેમણે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાં કુલ ૨૪૧ લોકોના જીવ ગયા છે, જેમાં ક્રૂ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત, પ્લેન જ્યાં ક્રેશ થયું ત્યાં હાજર ૨૯ અન્ય લોકો પણ તેની ઝપેટમાં આવ્યા હતા.