
અમદાવાદઃ કોંગ્રેસ પાર્ટીએ તેના સંગઠનને મજબૂત કરવા માટે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે, જેના ભાગરૂપે ચાર રાજ્યો માટે 105 નિરીક્ષકોની નિમણૂક કરી છે. આ નિરીક્ષકોનું મુખ્ય કામ જિલ્લા સ્તરે કોંગ્રેસના પ્રમુખોની પસંદગી કરવાનું છે. આ નિર્ણયમાં ગુજરાત કોંગ્રેસના 10થી વધુ નેતાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓમાં ભરતસિંહ સોલંકી, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, હિંમતસિંહ પટેલ, લાલજીભાઈ દેસાઈ, અનંતભાઈ પટેલ, અમૃતજી ઠાકોર, ઇમરાન ખેડાવાલા, બિમલભાઈ શાહ અને પલક વર્માનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ હવે પંજાબ, ઉત્તરાખંડ, ઝારખંડ અને ઓડિશા જેવા રાજ્યોમાં જઈને પાર્ટીને મજબૂત કરવાનું કામ કરશે.
પંજાબ: આ રાજ્ય માટે કુલ 29 નિરીક્ષકોમાંથી ગુજરાતના બે નેતાઓ, ભરતસિંહ સોલંકી અને લાલજી દેસાઈ, નો સમાવેશ થાય છે.
ઉત્તરાખંડ: અહીં 26 નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના પાંચ નેતાઓને સ્થાન મળ્યું છે. જેમાં જગદીશ ઠાકોર, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, હિંમતસિંહ પટેલ અને અમૃત ઠાકોરનો સમાવેશ થાય છે.
ઝારખંડ : આ રાજ્ય માટે 25 નિરીક્ષકોમાંથી ગુજરાતના ત્રણ નેતાઓ, ડૉ. અમી યાજ્ઞિક, અનંત પટેલ અને ઈમરાન ખેડાવાલા,ની પસંદગી થઈ છે.
ઓડિશા: અહીં 35 નિરીક્ષકોની યાદીમાં ગુજરાતના એક નેતા બિમલ શાહને જવાબદારી સોંપવામાં આવી છે.
કોંગ્રેસ ગુજરાતના નેતાઓને રાષ્ટ્રીય સ્તરે મહત્ત્વ આપતી હોવાનું આ પરથી સાબિત થાય છે. આનાથી પાર્ટીના કામમાં નવી ગતિશીલતા આવવાની અપેક્ષા છે.
આપણ વાંચો: કચ્છમાં જન્માષ્ટમીની રંગત: ભુજના લોકમેળામાં ત્રણ લાખથી વધુ લોકો ઉમટ્યા