સિવિલ હોસ્પિટલ DNA ટેસ્ટ શરૂ: પ્લેન ક્રેશના મૃતકોના સંબંધીઓ માટે ખાસ વ્યવસ્થા

અમદાવાદ: ગઈકાલે અમદાવાદમાં એર ઇન્ડીયાની ફ્લાઈટ નંબર AI 171 ટેક ઓફ સમયે ક્રેશ થઇ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહોની ઓળખ માટે મૃતકોના સગા સબંધીઓના DNA ટેસ્ટ લેવાની કામગીરી ચાલી રહી છે. આ માટે અમદાવાદ આવેલા મૃતકોના પરિવારજનો અને સગા સબંધીઓ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના DNA સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરી છે. 50 ઇજાગ્રસ્તની સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તમામ દર્દી સ્ટેબલ છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં DNA સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના નજીકના સગા એટલે કે માતા પિતા અથવા બાળકો DNA સેમ્પલ આપી શકશે.
એર ઈન્ડિયા પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે, ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ભોગ બનેલા યાત્રીઓના સગાં-સંબંધીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. પીડિતોના પરિવારજનોનમે મદદરૂપ થવા માટે સરકીટ હાઉસ તેમ જ અન્ય સ્થળોએ રોકાણની સગવડ પૂરી પાડવામાં આવી છે.
ઉપરાંત, સિવિલ હોસ્પિટલથી આ રોકાણ સ્થળો સુધી પહોંચવા માટે વાહન-વ્યવહારની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. અ અંગે વધુ માહિતી અથવા રૂમ તથા વાહન-વ્યવહારની વ્યવસ્થા માટે યાત્રીઓના સગાં-સંબંધીઓ નીચે મુજબના સંબંધિત સત્તાધિકારીઓનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે.
કંટ્રોલ રૂમ ફોન નં. : ૦૭૯-૨૩૨૫૧૯૦૦
કંટ્રોલ રૂમ મોબાઇલ નં. : ૯૯૭૮૪૦૫૩૦૪
કૃણાલભાઈ પટેલ (માર્ગ અને મકાન વિભાગ) : ૯૪૨૯૬૧૦૧૩૭