અમદાવાદ

કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં 5 આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી; 19 મીએ વધુ સુનાવણી

અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યાં બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણીને દરમિયાન સરકારી વકીલે સમય માંગતા આ અરજી પર આવતીકાલે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

18 મી લોકસભાના પ્રથમ સત્રમાં રાહુલ ગાંધી દ્વારા સંસદમાં હિન્દુ ધર્મ અંગે વિશે કરાયેલી કથિત ટિપ્પણી બાદ ભારે વિવાદ સર્જાયો હતો. આ ટિપ્પણી બાદ 2 જુલાઈના રોજ અમદાવાદના રાજીવ ગાંધી ભવન (કોંગ્રેસ કાર્યાલય) ખાતે બજરંગ દળ અને ભાજપના કાર્યકરો વિરોધ કરવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન સ્થિતિ તંગ બની ચૂકી હતી અને ભાજપ, બજરંગ દળ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા.

આ પણ વાંચો: કોંગ્રસ કાર્યાલયે સ્થિતિ વણસી : આમને સામને પથ્થરમારો કરતાં પોલીસ કર્યો લાઠીચાર્જ

અહી બંને પક્ષો આમને સામને આવી જતાં મામલો વણસ્યો હતો અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. આ બાદ બંને પક્ષે સામસામે ફરિયાદો નોંધાવી હતી. તો સાથે જ પોલીસે પણ એક ફરિયાદ નોંધી છે. આ બનાવ બાદ ધારાસભ્ય શૈલેષ પરમાર અને હિંમતસિંહ પટેલે BNS મુજબ ફરિયાદો નોંધાવી છે. આ ગુનામાં BNSની કલમ 189(2), 191(2), 190, 191(3), 125(b), 121(1) અને 121(2) મુજબ ફરિયાદ નોંધાઈ હતી.

ફરિયાદ સંદર્ભે પોલીસે કોંગ્રેસના 5 કાર્યકરોની ધરપકડ કરીને હતી. જેમાં સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ પાનસરા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે. આ આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તેમને અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે જામીન અરજી મૂકી હતી. આરોપીઓ 3 તારીખથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

આ પણ વાંચો: ‘ગુજરાત કોંગ્રેસ કાર્યાલય પર હુમલો મારી વાત સાચી સાબિત કરે છે’ રાહુલ અને પ્રિયંકાએ ભાજપને ઘેરી

આ બનાવ સંદર્ભે નોંધવામાં આવેલી ફરિયાદમાં કોંગ્રેસના પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ પાંચ આરોપીઓમાં સંજય બ્રહ્મભટ્ટ, મનીષ ઠાકોર, મુકેશ દંતાણી, વિમલ પાનસરા અને હર્ષ પરમારનો સમાવેશ થાય છે. આ આરોપીઓની રિમાન્ડ પૂર્ણ થયા બાદ અમદાવાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ ખાતે જામીન અરજી કરી હતી. ત્યાં તેમની અરજી ફગાવ્યાં બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…