અમદાવાદ પ્લેન ક્રેશ: 625 ફૂટની ઊંચાઈએ પાઈલટને બચવાનો સમય જ ન મળ્યો!

અમદાવાદ: અમદાવાદના મેઘાણીનગરમાં એર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર (ફ્લાઇટ AI171) વિમાન બપોરે 1:30 વાગ્યે રન-વે પર હતું અને 1:38 વાગ્યે રનવેના છેલ્લા ભાગમાંથી સફળતાપૂર્વક ટેકઓફ કરી ચૂક્યું હતું. જોકે, ટેકઓફના માત્ર બે જ મિનિટમાં, એટલે કે બપોરે 1:40 વાગ્યે, વિમાન 625 ફૂટની ઊંચાઈએ સિગ્નલ ગુમાવી બેઠું અને ક્રેશ થયું હતું.
સેટેલાઈટ ડેટા દર્શાવે છે કે ઉડાન ભર્યા બાદ માત્ર 8 મિનિટ માટે જ સિગ્નલ સક્રિય રહ્યું હતું. આ દરમિયાન, પ્લેન અંદાજે 400 ફૂટ પ્રતિ મિનિટની ઝડપે નીચે પડી રહ્યું હતું. આ ક્ષણોમાં પાઇલટ પાસે કોઈ પણ કાર્યવાહી કરવા માટે એક મિનિટનો પણ સમય નહોતો, જેના કારણે આટલી મોટી જાનહાનિ થઈ.
આ પણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ પ્લેન ક્રેશ પહેલાં જ બ્રિટીશ નાગરિકે શેર કરેલો વીડિયો થયો વાઈરલ, જોઈને આંખો ભરાઈ આવશે…
પાઇલટને ફક્ત એક મિનિટનો સમય મળ્યો
આ અંગે એવિએશન નિષ્ણાતોનું માનવું છે કે જો વિમાન 625 ફૂટને બદલે 35,000 ફૂટની ઊંચાઈએ હોત તો ક્રૂ મેમ્બર્સને પરિસ્થિતિને સંભાળવા અને ઘણા લોકોને બચાવવા માટે વધુ સમય મળ્યો હોત. દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં લગભગ 52 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક સવાર હોવાનું પણ સામે આવ્યું છે.
આ અંગે એવિએશન એક્સપર્ટે શું કહ્યું?
એવિએશન એક્સપર્ટે આ ઘટના અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “મને લાગે છે કે લોડ ફેક્ટરમાં મિસ-કેલ્ક્યુલેશન થયું હશે. આ સિવાય, લેન્ડિંગ ગિયર વ્યવસ્થિત રીતે બંધ થયું નહીં હોય, કારણ કે પ્લેનનું એક પૈડું બિલ્ડિંગમાં ફસાયેલું જોવા મળે છે. જેથી સમજી શકાય છે કે આ અકસ્માત પ્લેનમાં સંતુલનની સમસ્યાને કારણે સર્જાયો હશે.