અમદાવાદ

આસારામના વચગાળાના જામીન સાતમી જુલાઈ સુધી લંબાવ્યા, હાઈ કોર્ટે આપી રાહત

અમદાવાદ: ગુજરાત હાઈ કોર્ટે 2013ના બળાત્કાર કેસમાં આસારામને મોટી રાહત આપી છે. હાઈ કોર્ટે તેમના વચગાળાના જામીન 7 જુલાઈ, 2025 સુધી લંબાવ્યા છે. આસારામને ગાંધીનગરની સેશન્સ કોર્ટે 2013ના બળાત્કારના કેસમાં દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી. તેમના વચગાળાની જામીન 30 જૂને પૂરી થવાના હતા.

ન્યાયમૂર્તિ ઈલેશ વોરા અને ન્યાયમૂર્તિ સંદીપ ભટ્ટની ખંડપીઠે આસારામના વચગાળાના જામીનની મુદ્દત લંબાવી છે, જેથી તેમના વકીલો અરજી સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી શકે. હાઈ કોર્ટે જણાવ્યું કે આ કેસની સુનાવણી 2 જુલાઈના રોજ થશે. અગાઉ, હાઈ કોર્ટે 28 માર્ચના રોજ આપેલા વચગાળાના જામીન ત્રણ મહિના માટે લંબાવ્યા હતા, જે 30 જૂનના પૂરી થવાના હતા.

આ પણ વાંચો: આસારામની જામીન અરજીની મુદત વધારવા મુદ્દે હાઈ કોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ…

જસ્ટિસ ઈલેશ જે. વોરા અને જસ્ટિસ પી.એમ. રાવલની ખંડપીઠે જણાવ્યું કે “બંને પક્ષોની દલીલો સાંભળવામાં આવી છે. વર્તમાન કેસના વિશિષ્ટ તથ્યોને ધ્યાનમાં રાખીને, ખાસ કરીને નેશનલ લીગલ સર્વિસિસ ઓથોરિટીનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાને કારણે અમે વચગાળાના જામીન 7 જુલાઈ સુધી લંબાવવા તૈયાર છીએ.

સુનાવણી દરમિયાન આસારામ વતી સિનિયર એડવોકેટ શાલિન મહેતાએ કોર્ટને તેમની જામીન અવધિ વધારવા વિનંતી કરી હતી. મહેતાએ જણાવ્યું કે “NALSA પ્રમાણિત કરે છે કે હું બંને શ્રેણીઓમાં આવું છું – 70 વર્ષથી વધુ ઉંમરનો અને અસાધ્ય રોગથી પીડિત.” તેમણે ઓડિશા હાઈ કોર્ટના બે આદેશોનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં અપીલની સુનાવણી ન થવાને કારણે જામીન આપવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button