અમદાવાદ

અમદાવાદમાં સાબરમતી સબ રજીસ્ટ્રારના નામે લાંચ લેતા એડવોકેટ સહિત પાંચ લોકોની ધરપકડ, એક ફરાર…

અમદાવાદ : ગુજરાતમાં લાંચિયા અધિકારીઓને ઝડપવા માટે લાંચ રૂશ્વત બ્યૂરો દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં લાંચ રૂશ્વત બ્યૂરોને મળેલી ફરિયાદના આધારે અમદાવાદમાં સાબરમતી સબ રજીસ્ટ્રારની કચેરીમાં એડવોકેટ સહિત છ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર પેઢીનામાં માટે સાબરમતી સબ રજીસ્ટ્રારના નામે લાંચની માંગણી કરી હતી. જેમાં એડવોકેટે 75,000 રૂપિયા લાંચ આપવાની વાત કરી હતી. જેની બાદ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરી હતી. તેની બાદ એસીબીએ સાબરમતી સબ રજીસ્ટ્રારની કચેરી ખાતે ટ્રેપ ગોઠવીને છ આરોપીને ઝડપવા તજવીજ હાથ ધરી હતી. જેમાંથી એક આરોપી ભાગી છૂટયો છે. તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

14,850 ફી ગૂગલ પે મારફત ચૂકવી હતી
આ ટ્રેપની વિગત મુજબ ફરિયાદીના એક ભાઈનું અવસાન થયું હતું. તેમજ મૃત્યુ પામનાર અવિવાહિત હોવાથી સીધી લીટીના વારસદાર ન હતા. તેથી તેમના ભાઈ અને બહેનને સીધી લીટીના વારસદાર તરીકે દાખલ કર્યા હતા. તેમજ તેમની તરફેણમાં હક્ક રિલીઝ કરવા તેમણે આરોપી નંબર 1 અને એડવોકેટ રાજાભાઇ પ્રભુભાઇ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. જેની બાદ નક્કી કરેલી રૂપિયા 14,850 ફી ગૂગલ પે મારફત ચૂકવી હતી.

એસીબીનો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન
તેમજ નિયમોનુસાર દસ્તાવેજ અંગે ભરવાની ફી પણ લીધેલ. આમ આ પ્રમાણે ફી મેળવી લીધા બાદ ફરીયાદીના દસ્તાવેજની આગળની કાર્યવાહી નહીં થતા એડવોકેટને પૂછતાં પેઢીનામામાં ક્વેરી હોવાનું જણાવી. આ ક્વેરી ઉકેલવા સાબરમતી-13 ના સબ રજીસ્ટ્રારને રૂપિયા 75,000 આપવા પડશે તેમ જણાવ્યું હતું. તેની બાદ ફરિયાદીએ આ લાંચનાં નાણાં આપવા માંગતા ન હોઈ તેમણે એસીબીનો સંપર્ક કરતાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ
જેની બાદ આ કેસમાં એડવોકેટના કહેવાથી ફરિયાદીએ કુશ રાજુભાઇ મહેતા અને ભારતીબેન મોતીભાઇ પરમારને સબ રજીસ્ટ્રાર ઓફિસના 75,000 રૂપિયા આપ્યા હતા. જ્યારે ભારતીબેન મોતીભાઇ પરમારે તેના ભાગ પાડી સબ રજીસ્ટ્રાર ઓફિસના કર્મચારી દલપતસિંહ ગાડાંજી ઠાકોરને 33,500 અને ખ્યાતીબેન દિનેશભાઇ જોષીને 40,500 તેમજ બલદેવ ઉર્ફે બકુલ પરમારને રૂપિયા 500 આપ્યા હતા. જે નાણાં એસીબીએ રિકવર કર્યા છે. જો કે આરોપી બકુલ પરમાર 500 રૂપિયા ભીડનો લાભ લઇ ભાગી ગયો હતો. આમ આ કેસમાં કુલ છ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

જ્યારે આરોપી બકુલ પરમારને પકડી નાણાં રીકવર કરવાની તથા આ લાંચના નાણાં લેવામાં અન્ય કોણ-કોણ સંડોવાયેલા છે. તે અંગે તપાસ ચાલુ છે તથા પાંચ આરોપીને ડીટેઈન કરી તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

આપણ વાંચો : વિદ્યાર્થીઓએ શિક્ષકોને ભણાવ્યો પાઠ, પ્રામાણિકતાની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થી પાસ થઈ ગયા…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button