
અમદાવાદઃ અમદાવાદ શહેરમાં એસજી હાઈવે પર આવેલી 12 દુકાનોને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, કર્ણાવતી ક્લબ સામે SG હાઈવે પર આવેલ ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેકસ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ અને ગજાનંદ પૌંઆ હાઉસ સહિત 12 દુકાનોને પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા સીલ કરવામાં આવી છે. આ દુકાનોના આગળ ગ્રાહકો પાર્કિગ કરતા હોવાથી જાહેર જનતાને અવર જવર માટે અડચણ થઈ રહી હતી.

વારંવાર સૂચનાઓ આપવામાં છતાં પાર્કિંગની વ્યવસ્થા નહોતી કરી
નોંધનીય છે કે, પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આ દુકાનાનો માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. અહીં દુકાને આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિતમાં અને મૌખિક વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં વાહનોના પાર્કિંગ માટે દુકાન માલિકો દ્વારા આપેલ બાંહેધરી મુજબ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

જેથી વાહનોને પરિવહનમાં સરળતા રહે તે હેતુસર અહીની કુલ 12 દુકાનોને સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ માલિકોએ નોટિસ પર ખાસ ધ્યાન આપ્યું નહોતું જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

હુકમની અવગણના કરી તો માલિકો સામે થશે પોલીસ કાર્યવાહી
તંત્રએ દુકાનોને સીલ મારીને નોટિસ પણ આપી છે કે, નોટિસ પ્રમાણે વાત કરવામાં આવે કો, સીલ કરેલી દુકાનોમાં કોઈએ પ્રવેશ કરવો કરવો નહીં તેવું ચોખ્ખા શબ્દોમાં લગવામાં આવ્યું છે. જો કે, આ હુકમની અવગણના કરવામાં આવશે તો તેની જવાબદારી જેતે માલિકની રહેશે અને તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે, જો દુકાનો ફરી ચાલુ કરવી હોય તો પહેલા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે. બાકી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.

આપણ વાંચો : અમદાવાદમાં અંધારપટઃ 5 વર્ષમાં તંત્રને સ્ટ્રીટ લાઈટ ફોલ્ટની મળી 4.80 લાખ ફરિયાદ