ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિ કરી રથયાત્રાની તૈયારીઓનો શુભારંભ કરાયો…

અમદાવાદ: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાની તૈયારીઓનો અખાત્રીજના દિવસથી શુભારંભ કરવામાં આવ્યો હતો. અક્ષય તૃતિયાના પવિત્ર અવસરે જગન્નાથ મંદિરમાં ઐતિહાસિક રથની ચંદન પૂજા વિધિવત કરવામાં આવી હતી. પૂજા વિધિમાં ચંદનનો ઉપયોગ થતો હોવાથી આ યાત્રાને ચંદન યાત્રા પણ કહેવાામાં આવે છે. અત્યારે રથના પૈડાં અને અન્ય ભાગોનું સમારકામનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
પૂરજોશમાં ચાલી રહી છે જગન્નાથની રથયાત્રાની તૈયારીઓ
આ વર્ષે રથયાત્રામાં નવી બે બાબતો જોવા મળશે. જેમાં પહેલી વાત કે, આતંકવાદ દૂર થાય અને આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકો માટે ભગવાન જગન્નાથને પ્રાર્થના કરવામાં આવશે અને બીજી વાત એ કે, ગરમીનો પારો વધતાં ઠંડક મળે તે માટે ભગવાનને લીલા નાળિયેર અને નારિયેળ પાણી અર્પણ કરવામાં આવ્યાં હતાં. આ વર્ષે અમદાવાદ શહેરમાં અષાઢી બીજના દિવસે યોજાનારી આ રથયાત્રા માટે તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી શકે તેવો અંદાજ પણ છે.
રથયાત્રાની તૈયારીઓનો મહત્ત્વનો ભાગ છે ચંદન પૂજા
ભગવાન જગન્નાથ મંદિરમાં પરંપરાગત રીતે ચંદન પૂજા કરવામાં આવી હતી. ચંદન પૂજાને ભગવાન જગન્નાથ રથયાત્રાની તૈયારીઓનો મહત્ત્વનો ભાગ છે. આ રથયાત્રાનું ઐતિહાસિક અને સાંસ્કૃતિક મહત્વ સાથે સાથે ધાર્મિક મહત્વની પણ રહેલું છે. આ રથયાત્રાના ધાર્મિક ઓળખનું પ્રતિક માનવામાં આવે છે. રથયાત્રા દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવતો હોય છે. કારણ કે, રથયાત્રા દરમિયાન હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે. અત્યારે રથયાત્રાની તૈયારી કરી રહેલા લોકોમાં ભારે ઉત્સાહ પણ જોવા મળ્યો હતો.