
અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ પરથી સોમવારે મુંબઈ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રાત્રે કેન્સલ થઈ હતી. મળતા અહેવાલ પ્રમાણે 10:45ની એર ઇન્ડિયાની મુંબઈથી અમદાવાદ ફલાઇટ થોડીવાર પહેલા 12:30એ રન વે પહેલા ટેક્નિકલ કારણોસર અટકી ગઈ હતી.એર ઇન્ડિયા દ્વારા ફ્લાઈટને ઉપાડવી હતી પણ મુસાફરોએ હોબાળો કર્યો કે સમસ્યા છે. તો ફ્લાઇટ ટેકઓફ કેમ કરો છો અને ફ્લાઇટ ન ઉપાડવા માંગ કરી હતી.
એરલાઇન્સ સ્ટાફ અને પેસેન્જરો વચ્ચે રકઝક
જોકે, તેની બાદ એરલાઇન્સ સ્ટાફ અને પેસેન્જરો વચ્ચે રકઝક ચાલી હતી. તેમજ પેસેન્જરોએ મચક ન આપતા આખરે
રાત્રિના 1:00 વાગ્યે ફ્લાઇટ કેન્સલ થવાની પાઇલોટ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. આ ફ્લાઇટને ફરી એરપોર્ટ તરફ લઈ જવામાં આવી હતી.
ટેક્નિકલ ખામીની સમયસરની જાણકારી ગ્રાઉન્ડ પર જ મળી
જ્યારે આ દરમિયાન પ્લેનમાં બેઠેલા પ્રવાસીઓ ટેક્નિકલ ખામીની સમયસરની જાણકારી ગ્રાઉન્ડ પર જ આપવા બદલ એરઇન્ડિયા અને ઉડ્ડયન મંત્રાલયનો આભાર વ્યક્ત કર્યો હતો. જેના લીધે મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. તેમજ ફલાઈટ ટેક ઓફ થવા ન દીધી હતી.