અમદાવાદટોપ ન્યૂઝ

Ahmedabad માં ટ્રાફિકની સમસ્યા હળવી થશે, વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે…

અમદાવાદ : અમદાવાદ(Ahmedabad)શહેરમાં સતત વધી રહેલી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે અનેક સ્થળોએ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી કરવામા આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદના વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનાવાશે. જેમા એપીએમસી માર્કેટ વિશાલા સર્કલથી સરખેજ ચોકડી સુધી ઓવરબ્રિજ બનવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થશે.

બ્રિજની કામગીરી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરી દેવાશે

આ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી માટે રૂપિયા 1295.39 કરોડની મંજૂરી આપવામાં આવી છે. આ માહિતી રાજ્ય‌ મંત્રી જગદીશ વિશ્વકર્માએ વિધાનસભામાં આપી હતી. આ ઓવર બ્રિજની કામગીરી વર્ષ 2027 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે.

આ પણ વાંચો : વટવા ખાતે બુલેટ ટ્રેનના કામકાજ દરમિયાન મહાકાય ક્રેન ખાબકતા બે ઘાયલઃ રેલવ્યવહાર ખોરવાયો…

કુલ 16 માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે

વિશાલાથી સરખેજ સુધીના હાઈવે પર સ્થાનિક ટ્રાફિકના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ઉપયોગ થતો હોવાથી બહારના ટ્રાફિકની સમસ્યા રહેતી હતી. જે આ બ્રિજ બનવાથી ઓછી થશે. વિશાલાથી સરખેજ સુધીના હાઇવે પર છ માર્ગીય એલિવેટેડ કોરિડર તથા બંને બાજુ પાંચ માર્ગીય એટગ્રેટ રસ્તા સહિત કુલ 16 માર્ગીય સવલત ગુજરાતમાં પ્રથમ વખત ઉપલબ્ધ થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button