અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની, રિવરફ્રન્ટનો વોક- વે બંધ કરાયો | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદની સાબરમતી નદી ગાંડીતૂર બની, રિવરફ્રન્ટનો વોક- વે બંધ કરાયો

અમદાવાદ : અમદાવાદની સાબરમતી નદીમાં પાણીનું જળસ્તર વધતા ગાંડીતૂર બની છે. સલામતીના ભાગરૂપે રિવરફ્રન્ટનો વોક- વે બંધ કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા નદીની આસપાસ કે વોક-વે પર ન જવા માટે જાહેર સૂચના પણ આપવામાં આવી રહી છે.

મહેસાણાના ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી છોડવામાં આવી રહેલા પાણીના લીધે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે અને નદી બે કાંઠે થઈ છે. તેમજ રિવરફ્રન્ટનો વોક- વે પણ પાણીમાં ડૂબ્યો છે.

આપણ વાંચો: સાબરમતી નદીનું જળસ્તર વધ્યું, રિવરફ્રન્ટ સતત બીજા દિવસે બંધ: ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા સંકટ

ધરોઈ ડેમથી આશરે 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

જયારે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના લીધે સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. સાબરમતી નદીમાં ધરોઈ ડેમથી આશરે 95,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

જયારે સંત સરોવરમાંથી 22,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેમાનું 90,000 થી વધુ ક્યુસેક પાણી નદીમાં આવશે.જયારે હાલ સાથે વાસણા બેરેજ ડેમના 30 માંથી 28 દરવાજા અત્યાર થી ખોલી દેવામાં આવ્યા છે.

આપણ વાંચો: લ્હીમાં યમુના નદી મચાવી શકે છે તબાહી! પાણીનું સ્તર 205.36 મીટરે પહોચ્યું

અમદાવાદ કોર્પોરેશન એલર્ટ મોડમાં

આ ઉપરાંત બપોર બાદ નદીના પાણીનું જળસ્તર વધતા શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવવાની સમસ્યામાં વધારો થશે. તેમજ આ સ્થિતિનીએ પહોંચી વળવા માટે અમદાવાદ કોર્પોરેશન એલર્ટ મોડમાં છે. ફાયર બ્રિગેડની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે.

નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા

આ ઉપરાંત વાસણા બેરેજમાંથી પાણી છોડાતા નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોને પાણીનો પ્રવાહ આવતા સલામત સ્થળે જવા અપીલ કરવામાં આવી છે. તેમજ તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button