અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ બે ડોકટરોનું સારવાર દરમિયાન મૃત્યુ…

અમદાવાદ : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાનમાં રહેલા મુસાફરોની સાથે મેડિકલ કોલેજ હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓના પણ મોત થયા છે. આ વિમાન મેડિકલ કોલેજ હોસ્ટેલ સાથે અથડાયું હતું. જેના લીધે ત્યાં હાજર ઘણા વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને અનેકના મોત થયા હતા. ત્યારે મેડિકલ કોલેજના બે વધુ ડોક્ટરોના પણ મોત થયા છે. અત્યાર સુધી 6 ડૉક્ટર અને ચાર મેડિકલ વિદ્યાર્થીઓના મોત થયા છે.

મંગળવારે હોસ્પિટલમાં બે ડોકટરોનું અવસાન
આ વિમાન દુર્ઘટનામાં ડૉ. ભાવેશ અને ડૉ. તાશ્કીન બંને ગંભીર રીતે ઘાયલ થયા હતા. મેડિકલ કોલેજ હોસ્ટેલમાં રહેતા બંને ડોક્ટરોને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ખૂબ જ નાજુક હતી ડોક્ટરોની ટીમ તેમની સારવારમાં રોકાયેલી હતી. પરંતુ તેમને બચાવી શકાયા નહીં. મંગળવારે હોસ્પિટલમાં તેમનું અવસાન થયું હતું.

ભાવેશ અને તાશ્કીન સૈયદનું અવસાન
ડોક્ટર ભાવેશ શેઠ સુરતના રહેવાસી હતા. તેઓ એમબીબીએસ વર્ષ 2019 બેચના વિદ્યાર્થી હતા. ભાવેશ આ વિમાન દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમની હાલત ખૂબ જ નાજુક હતી. જ્યારે ડૉ. તશ્કિન સૈયદ અમદાવાદના રહેવાસી હતા અને તે વર્ષ 2018 બેચના વિદ્યાર્થી હતા. પરંતુ હવે આ વિમાન દુર્ઘટના પછી બંનેનું મૃત્યુ થયું છે.

6 ડોકટરો અને 4 મેડિકલ વિદ્યાર્થીઓના મોત
ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત રાજ્ય શાખાના અધિકારીઓએ જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 6 ડોકટરો અને 4 મેડિકલ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા મેડિકલ વિદ્યાર્થીઓ અને ડોક્ટરો માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મેડિકલ એસોસિએશન ખાતે મંગળવારે સાંજે 5 વાગ્યે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આઇએમએ અને એએમએના અધિકારીઓના જણાવ્યા અનુસાર, સુરતના ડો. હિમાંશુ શેઠ, ડો. હિતેશ શાહ, અમદાવાદના ડો.તશ્કિન સૈયદ અને સુરતના ડો. ભાવેશ શેઠનું મૃત્યુ થયું છે. વિમાન બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ પર પડ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓ ભોજન લેવા માટે મેસમાં ભેગા થયા હતા. આ અકસ્માતમાં માનવ ભાદુ, જયપ્રકાશ ચૌધરી, આર્યન રાજપૂત અને રાકેશ દિહોરાએ જીવ ગુમાવ્યા.

241 મુસાફરોના મોત
અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યા પછી થોડી વારમાં જ આ વિમાન નીચે પડી ગયું અને એક મોટો વિસ્ફોટ થયો. વિમાન બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ બિલ્ડિંગ સાથે અથડાયું હતું. આ વિમાનમાં સવાર 242 મુસાફરોમાંથી માત્ર 1 મુસાફરનીઓ જીવ બચ્યો છે. આ અકસ્માતમાં 265 લોકોના મોત થયા હોવાનું નોંધાયું છે.

આપણ વાંચો : અમદાવાદ પ્લેન ક્રેશ: 83 મૃતદેહો સુપરત, 125 DNA મેચ થયા; સરકારી તંત્ર ખડેપગે…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button