અમદાવાદ

પાયલોટના લીધે બચી ગયા.. જો વિમાન થોડું પણ ડાબે જમણે પડ્યું હોત તો, લોકોએ યાદ કરી ભયાવહ દુર્ઘટના

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાની ફલાઇટ ક્રેશ થતાં બિન સત્તાવાર રીતે 280 લોકોના મોત થયા છે. આ દિવસ વિસ્તારના લોકો માટે પણ ચિંતા કરનારો બની ગયો હતો. કારણ કે આ વિસ્તાર પરથી મોટા ભાગની ફ્લાઇટ ઉડાન ભરે છે. આ વિસ્તારના લોકો તેને રોજ નિહાળતા હોય છે. પરંતુ ગુરુવારના દિવસે આ સમગ્ર અનુભવને બદલી નાખ્યો અને ચિંતા ઉભી કરી દીધી છે. આ ઘટના બાદ આસપાસના લોકોએ અનેક પ્રતિક્રિયાઓ આપી હતી.

તમામ વૈજ્ઞાનિકોનો જીવ ગયો હોત

આ દુર્ઘટના બાદ મોટાભાગના લોકોમાં એક જ વાત કહી કે જો વિમાન થોડું પણ જમણી કે ડાબી તરફ વળ્યું હોત મોટી જાનહાની સર્જાઇ હોત. તેમજ આ વિસ્તારમાં આવેલી નેશનલ ઓકયુપેશનલ હેલ્થના એક વૈજ્ઞાનિકે કહ્યું કે. મને લાગે છે કે પાયલોટના લીધે અમે બધા બચી ગયા. જો પાયલોટે હોસ્ટેલની આસપાસ વિમાન લેન્ડ ન કર્યું હોત તો વિમાન અમારી ઇમારત સાથે અથડાયું હોત તો તમામ વૈજ્ઞાનિકોનો જીવ ગયો હોત.

વિમાન થોડું ડાબી તરફ ગયું હોત તો સોસાયટી પર પડ્યું હોત

જ્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના દુકાનદારે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, જો વિમાન થોડું ડાબી તરફ ગયું હોત તો અમારી સોસાયટી પર પડ્યું હોત અને જો થોડું જમણી તરફ ગયું હોત તો તે એસઆરપી ના ઘોડા કેમ્પ સાથે અથડાયું હોત. જો વિમાન થોડું વહેલું નીચે આવ્યું હોત તો તે મિલિટરી હોસ્પિટલ અને એનઆઇઓએચના પરિસરમાં ગયું હોત. જ્યારે જો તે થોડું મોડું નીચે આવ્યું હોત તો તે સીધું મેડિસિટી કેમ્પસની બહાર સ્થિત 1,200 બેડની હોસ્પિટલમાં અથડાયું હોત.

અમે બધાને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા

હાઉસિંગ સોસાયટીના લોકો પણ કહે છે કે શરૂઆતમાં તેમને ખ્યાલ નહોતો કે આગ વિમાન દુર્ઘટનાને કારણે લાગી છે. બીજા માળે રહેતા દર્શન પટણીએ જણાવ્યું કે, અમે ખૂબ જ જોરથી વિસ્ફોટ સાંભળ્યો. અમને સમજાયું નહીં કે શું થઈ રહ્યું છે, પરંતુ જ્યારે અમે આગ અને ધુમાડો જોયો ત્યારે અમે બધાને બિલ્ડિંગમાંથી બહાર કાઢ્યા કારણ કે અમને ખબર નહોતી કે વધુ વિસ્ફોટ થશે કે નહીં.

આ પણ વાંચો -‏‏‎ વિજય રૂપાણીના DNA મેચ થયા, રાજકોટમાં કરવામાં આવશે અંતિમસંસ્કાર…

મેઘાણી નગર વિસ્તારના ઘણા લોકો રાત્રે ઊંઘી શક્યા નહીં

મેઘાણી નગર વિસ્તારના ઘણા લોકો કહે છે કે તેઓ તે રાત્રે ઊંઘી શક્યા નહીં. શુક્રવારે સાંજે, દર્શન અને તેનો પુત્ર યોગેશ તેમના ટેરેસ પર એક જર્જરિત સોફા પર બેઠા હતા અને તેમના પડોશીઓ સાથે વાતો કરી રહ્યા હતા. જ્યારે એક વિમાન ઇમારત ઉપરથી પસાર થયું ત્યારે બધાએ સહજતાથી ઉપર જોયું. આ લોકો માટે હવે એરપોર્ટની નજીક રહેઠાણ ફરી ક્યારેય પહેલા જેવું નથી રહ્યું

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button