અમદાવાદ

અમદાવાદમાં પ્લેન ક્રેશ પહેલા પાયલટે આપ્યો હતો MAYDAY Call, પછી શું થયું જાણો?

કેપ્ટન સુમિત સાભરવાલને 8200 કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો.

અમદાવાદઃ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ (ahmedabad plane crash) થયું હતું. આ દુર્ઘટનામાં 240થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. વિમાન દુર્ઘટનાને લઈ હવે જે જાણકારી સામે આવી રહી છે તે મુજબ, પાયલટે ક્રેશ પહેલા એટીસીને સિગ્નલ મોકલ્યું હતું. જે ખતરાનો મેસેજ હતો અને આની થોડી જ મિનિટોમાં પ્લેન ક્રેશ થયું હતું.

અમદાવાદ એરપોર્ટના રન વે 23થી આ વિમાને બપોરે 1.39 કલાકે ઉડાન ભરી હતી. ઉડાન ભર્યાની ગણતરીની મિનિટોમાં એટીસીને MAYDAY કૉલ મળ્યો હતો. પરંતુ આ પછી કોઈ સિગ્નલ મળ્યું નહોતું.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ: અકસ્માત સમયે પ્લેનની સ્પીડ 322 કિ.મી. પ્રતિ કલાક હતી

શું હોય છે MAYDAY Call?

કોઈપણ ફ્લાઇટમાં મેડે કોલ એક ઈમરજન્સી મેસેજ હોય છે. જ્યારે વિમાન કોઈ ગંભીર સંકટમાં હોય અને મુસાફરો કે ક્રૂ ના જીવને ખતરો હોય ત્યારે પાયલટ આ સિગ્નલ આપે છે. જેમકે વિમાનનું એન્જિન ફેલ થવું, વિમાનમાં આગ લાગવી, હવામાં ટક્કરનો ખતરો કે હાઈજેક જેવી સ્થિતિ બની હોય.

આ કોલ દ્વારા કોઈપણ પાયલટ એર ટ્રાફિક કંટ્રોલ અને નજીકના વિમાનોનું એલર્ટ કરે છે કે પ્લેનને તાત્કાલિક મદદની જરૂર છે. પાયલટ ત્રણ વખત, Mayday, Mayday, Mayday બોલે છે. જેનાથી સ્પષ્ટ થઈ ગયું હતું કે આ મજાક નહીં પણ અસલી સંકટ છે.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ જુઓ મુસાફરોનું લિસ્ટ

જાણકારી મુજબ, જ્યારે Mayday Call આપવામાં આવે ત્યારે કંટ્રોલ રૂમ આ વિમાનને પ્રાથમિકતા આપે છે અને તમામ સંસાધનો તેની મદદમાં લગાવી દેવામાં આવે છે. આ કોલ મળતાં ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી, રન વે ખાલી કરાવવો, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ તૈયાર રાખવામાં આવે છે.

મેડે શબ્દ ફ્રેન્ચના m’aiderથી આવ્યો છે. જેનો મતલબ મદદ કરો તેવો થાય છે. જ્યારે હાલત વધારે ગંભીર ન હોય પરંતુ ચિંતાની વાત હોય ત્યારે પાયલટ પેન પેન કોલ કરે છે. જે મેડેથી ઓછી ગંભીર માનવામાં આવે છે.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ 100 જણના મોતની આશંકાઃ વિજય રૂપાણી મામલે અસંમજસ

કેપ્ટન સુમિત સાભરવાલને કેટલો હતો અનુભવ

ડીજીસીએ દ્વારા વિમાન દુર્ઘટના અંગે જાણકારી આપવામાં આવી છે. જે મુડબ 12 જૂન, 2025ના રોજ એર ઈન્ડિયાના પ્લેન B787 અમદાવાદથી ગેટવિક (AI-171) જતું હતું. ટેકઓફની ગણતરીની મિનિટોમાં જ ક્રેશ થયું હતું.

આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા. જેમાં 2 પાયલટ અને 10 કેબિન ક્રૂ સામેલ હતા. આ પ્લેનના કેપ્ટન સુમિત સાભરવાલ હતા, જ્યારે તેની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈવ કુંદર હતા. સુમિત સાભરવાલને 8200 કલાક ફ્લાઇટ ઉડાવવાનો અનુભવ હતો. જ્યારે ક્લાઈવને પણ 1100 કલાકનો અનુભવ હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button