
અમદાવાદઃ અમદાવાદ ખાતે એર ઈન્ડિયાનું લંડન જઈ રહેલું પ્લેન ક્રેશ થવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. આ ફ્લાઈટમાં 242 પ્રવાસીઓ સવાર હતા. પ્રારંભિક તપાસમાં આ દુર્ઘટના કઈ રીતે એ વિશે મહત્ત્વની માહિતી સામે આવી રહી છે. આ દુર્ઘટના વિમાનનો પાછળનો હિસ્સો ટકરાવવાને કારણે બની હોવાનું કારણ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે.
સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર પ્લેનનો પાછળનો હિસ્સો એટલે કે ટેલ ટકરાવવાને કારણે આ દુર્ઘટના થઈ હોવાનો દાવો કેટલાક રિપોર્ટમાં કરાઈ રહ્યો છે તો કેટલાક રિપોર્ટમાં વિમાનના એન્જિનમાં અચાનક ખરાબી આવતા આ દુર્ઘટના થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
એર ઈન્ડિયાની આ ફ્લાઈટ અમદાવાદથી લંડન માટે ટેક ઓફ કર્યાના બે જ મિનિટમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. દુર્ઘટના સ્થળેથી જે દ્રશ્યો અને તસવીરો સામે આવી રહી છે એ ખરેખર વિચલિત કરી નાખનારી છે. પ્લેન ક્રેશની માહિતી મળતા જ બચાવ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્તોને પ્લેનના કાટમાળમાંથી બહાર કાઢીને મેડિકલ હેલ્પ પૂરી પાડવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતાં જ આખું તંત્ર એક્શનમાં આવી ગયું છે અને એક્સિડન્ટ સાઈટ પર અફડાતફડીનો માહોલ જોવા મળી રહ્યો હોવાની માહિતી પણ સામે આવી રહી છે.
આ પણ વાંચો - અમદાવાદમાં 242 પેસેન્જર સાથેનું પ્લેન ક્રેશ, 100ના મોતની સંભાવના, શું…
વિમાનના કેપ્ટન સુમિત સભરવાલની સાથે ફર્સ્ટ ઓફિસર ક્લાઈ કુંદર હતા. કેપ્ટન સુમિત સભરવાલ એક એલટીસી છે જેમને 8200 કલાકનો ફ્લાઈંગનો એક્સપિરિયન્સ છે, જ્યારે કો પાઈલટ પાસે 1100 કલાકની ફ્લાઈંગનો અનુભવ છે. એટીસી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રનવે 23થી ફ્લાઈટે 1.39 કલાકે ટેક ઓફ કર્યું હતું અને એટીસીને મેડે કોલ કર્યો હતો, પણ ત્યાર બાદ એટીસી દ્વારા કરવામાં આવેલા કોલ પર ફ્લાઈટમાંથી કોઈ પ્રત્યુત્તર મળ્યો નહોતો.