અમદાવાદ

લંચ બ્રેકમાં હોસ્ટેલ ગયો મારો દીકરો, પ્લેન તૂટી પડ્યું તો જીવ બચાવવા બીજા માળથી…

અમદાવાદઃ અમદાવાદ ખાતે બપોરે થયેલા ગોઝારા પ્લેન ક્રેશ એક્સિડન્ટને કારણે આખો દેશ હચમચી ગયો છે. 242 પ્રવાસીઓને અમદાવાદથી લંડન લઈ જઈ રહેલું એર ઈન્ડિયાનું બોઈંગ 747-8 ટેક ઓફ બાદ તરત જ ક્રેશ થઈ ગયું હતું.

આ પ્લેનમાં 230 પ્રવાસીઓ એને 12 ક્રુ મેમ્બર્સ હતા. આ બોઈંગ ફ્લાઈટ એરપોર્ટ નજીક આવેલી મેડિકલ કોલેજની બિલ્ડિંગ સાથે અથડાયું હતું અને તૂટી પડ્યું હતું.

આપણ વાંચો: અમદાવાદમાં પ્લેન ક્રેશ: અકસ્માતના મૂળ કારણ અંગે ક્યારે ખબર પડશે, જાણો હકીકત

અકસ્માતની ગંભીરતા એ વાત પરથી લગાવી શકાય છે કે ધુમાડાના ગોટા બે કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા. ઘટનાસ્થળ પર હાલમાં અફડાતફડી અને પરિવારજનોના આક્રંદ અને રોકકળથી પરિસ્થિતિ વધુ વિકટ બની છે. યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ બધા વચ્ચે રમીલા નામની એક મહિલાનું નિવેદન સામે આવી રહ્યું છે.

રમીલાબેનનો દીકરો એ જ હોસ્ટેલમાં રહે છે જેની ઉપર આ પ્લેન ક્રેશ થયું હતું. રમીલાબહેને જણાવ્યું હતું કે મારો દીકરો લંચ બ્રેકમાં હોસ્ટેલ ગયો હતો અને ત્યાં જ આ પ્લેન ક્રેશના સમાચાર આવ્યા. પરંતુ ભગવાનનો આભાર કે મારો દીકરો સુરક્ષિત છે અને બચી ગયો.

આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશ અંગે બોલીવુડના કલાકારોએ વ્યક્ત કર્યું દુઃખ, અક્ષય કુમારથી લઈને સની દેઓલે શું કહ્યું, જાણો

રમીલાએ જણાવ્યું હતું કે અકસ્માત સમયે તેમના દીકરાએ બીજા માળથી છલાંગ લગાવી હતી અને તેને મામુલી ઈજાઓ પહોંચી છે. તેણે મારી સાથે વાત કરી છે અને કહ્યું કે મમ્મી હું ઠીક છું, બસ થોડી ઈજા થઈ છે.

વિમાન એક્સિડન્ટની માહિતી મળતાં જ સીઆઈએસએફ અને એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુદ્ધના ધોરણે બચાવકાર્ય હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓની આપાતકાલીન બેઠક બોલાવવામાં આવી છે, જેમાં ડીજીસીએ અને મંત્રાલયના સચિવનો સમાવેશ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button