અમદાવાદ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 31 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ સોંપાયા…

અમદાવાદ : અમદાવાદમાં ગુરુવારે એર ઈન્ડિયાના પ્લેન ક્રેશમાં બિન સત્તાવાર રીતે 280થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે આ તમામ લોકોના ડીએનએ સેમ્પલ મેચ થવાની કામગીરી ચાલી રહી છે. જેમાં સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી હતી કે અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા છે. જ્યારે 12 મૃતદેહ પરિવારજનો સોંપવામાં આવ્યા છે.

ઓળખની કામગીરી હાથ ધરવામાં આવી
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI-171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે.

વિદેશી મૂળના નાગરિકોના પરિવારના સંપર્કનો પ્રયાસ
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 11 વિદેશી મૂળના નાગરિકોના પરિવારનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. બ્રિટિશ સરકાર સાથે સંકલન કરવામાં આવ્યું છે. દુર્ઘટનામાં બચી ગયેલા વ્યક્તિની તબિયત સ્થિર હોવાનું સરકાર દ્વારા જણાવાયું છે.

248 લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન
અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં 248 લોકોના ડીએનએ સેમ્પલનું વેરિફિકેશન થઈ ચૂક્યું છે. જેમાં ડીએનએ મેચ થતા તેમના પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. મૃતદેહ સ્વીકારતી વખતે પરિવારજનોએ હૈયાફાટ રૂદન કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button