અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ

અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ગુરુવારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 260થી વધુ લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદની આ ગોઝારી ઘટનાને લઈ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.
અમદાવાદ પ્લેન ક્રેશ મામલે 12 જૂને બપોરે 1 વાગ્યેને 44 મિનિટે સૌ પ્રથમ મેઘાણીનગર પોલીસ સ્ટેશન વનગાડી તથા પી.સી.આર વાનને અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ તરફથી મેસેજ મળેલ કે, જૂની આઇ. જી. પી કંપાઉન્ડમાં આગ લાગેલ છે. મેસેજ આપનારે પોતાનું નામ જણાવ્યું નહોતું.
આપણ વાંચો: અમદાવાદ પ્લેન ક્રેશઃ મુંબઈનો પરિવાર વિખેરાયો
અમદાવાદ શહેર સરદાર વલ્લભભાઇ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી એર ઇન્ડિયાની ફ્લાઇટ નં AI171ની અમદાવાદ શહેર ખાતેથી કલાક 1/20 વાગ્યે ટેકઓફ થઇ લંડન જવા સારૂ ઉડાન ભરી હતી, જે ફ્લાઇટ મેઘાણીનગર જુની આઇ. જી. પી કંપાઉન્ડમાં કોઇ અગમ્ય કારણસર આશરે ક્રેશ થઈ હતી હોય અને તેમાં સવાર યાત્રીઓ તેમજ પાયલોટ તથા ક્રુ મેમ્બર તથા બનાવવાળી જગ્યાની આજુબાજુના રહેણાંકવાળા વિસ્તારના નાગરિકો અવસાન પામ્યા હતા. આ વિગત ઇન્કવેસ્ટ પંચનામા ભરવામાં આવી હતી.
7 લોકોના મૃતદેહ પરિવારજનો સોંપાયા
અત્યાર સુધીમાં 7 લોકોના મૃતદેહ સોંપવામાં આવ્યા હતા.. સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 192થી વધુ લોકોના પરિવારના સેમ્પલ લેવામાં આવ્યા છે. પોસ્ટ મોર્ટમ રૂમમાં મૃતદેહની ઓળખ થયા બાદ આ મૃતદેહને પરિવારજનો તેમજ તેમના સગાઓને સન્માનભેર સોંપવામાં આવી રહ્યા છે.