અમદાવાદ

વિમાન દુર્ઘટનાના કપરા કાળમાં માનવતાના દર્શન: અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ દ્રશ્યો કાળજું ઠારશે!

અમદાવાદ: એર ઇન્ડીયાની ફ્લાઈટ નંબર એઆઈ 171 ટેક ઓફ સમયે અમદાવાદના મેઘાણીનગરમાં ક્રેશ થઇ હતી. આ દુર્ઘટનામાં અનેક લોકોના મૃત્યુ થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ માટે તેમના સગાઓના ડીએનએ સેમ્પલ લેવા અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા વ્યવસ્થા કરી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કસોટી ભવનમાં ડીએનએ સેમ્પલ આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કપરા સમયમાં માનવતા મહેકી ઉઠી છે. અમદાવાદ સિવિલમાં સ્થાનિક અને સામાન્ય લોકો તેમજ સામાજિક સંસ્થાઓ આગળ આવી છે.

કસોટી ભવન ખાતે લીંબુ શરબતની વ્યવસ્થા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના આ કપરા સમયમાં, અનેક સેવાભાવી સંગઠનો અને સામાન્ય લોકો દ્વારા રાહત અને મદદની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફોર સિઝન ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ ગ્રુપને આ કરુણ ઘટનાની જાણ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ અને કસોટી ભવન ખાતે બ્લડ સેમ્પલ આપવા આવેલા લોકો માટે લીંબુ શરબતની વ્યવસ્થા કરી હતી.

લોકોને પાણીની સુવિધા
તે ઉપરાંત અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનો માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ રૂમની સામે બેસવા માટે વિશેષ છાંયડાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે સિવાય સ્થાનિક લોકો પાણી, નાસ્તા સહિતની સેવાઓ આપી રહ્યા છે. દુઃખ અને તણાવના આ માહોલમાં, આ નાનકડી પણ માનવતાભરી સેવાએ અનેક લોકોના હૃદયને સ્પર્શી લીધું હતું. આ પ્રકારની સેવાઓ જ દર્શાવે છે કે મુશ્કેલ સમયમાં સમાજ કેવી રીતે એકબીજાના પડખે ઊભો રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button