અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પ્લેનમાં સવાર 70 ટકા મુસાફરોએ કરી હતી આ મોટી ભૂલ, જાણો વિગત
મોટાભાગના કિસ્સાઓમાં, આપેલો એકમાત્ર નંબર મુસાફરનો પોતાનો હતો

અમદાવાદઃ શહેરમાં ગુરુવાર તા. 12 જૂનના રોજ મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પ્લેન તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં પ્લેનમાં સવાર 242 મુસાફરો પૈકી 241ના કરૂણ મૃત્યુ થયા હતા. જ્યારે એક વ્યક્તિનો ચમત્કારિક બચાવ થયો હતો.જ્યારે કોઈ આવી દુર્ઘટના બને છે, ત્યારે સિસ્ટમની નાની-નાની ખામીઓ પણ સામે આવે છે. એઆઈ 171 ક્રેશ થયા પછી, હેલ્પ ડેસ્ક પરના સ્વયંસેવકો પરિવારોને જાણ કરવા માટે કામ કરી રહ્યા હતા, ત્યારે તેમને એક અણધારી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મોટાભાગના કોલ્સનો જવાબ ન મળ્યો નહોતો. તેનું કારણ એ હતું કે મોટાભાગના કિસ્સાઓમાં, આપેલો એકમાત્ર નંબર મુસાફરનો પોતાનો હતો.
મોટાભાગના નંબર બંધ આવતા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દુર્ઘટના પછી સ્વજનોનો સંપર્ક કરવો એક મોટો પડકાર હતો. 70 ટકા મુસાફરોના કેસમાં તેમના જ નંબર હતા. જ્યારે અમે તેમના સંબંધીનો સંપર્ક કરવાની કોશિશ કરી ત્યારે મોટાભાગના બંધ આવતા હતા અથવા કોઈ જવાબ મળતો નહોતો.
આ રીતે સંબંધીની ખરાઈ કરવામાં આવી
કાટમાળમાં ફોન ગુમ થઈ ગયા હોવાથી અને કોઈ વૈકલ્પિક સંપર્ક નંબર ઉપલબ્ધ ન હોવાથી, અધિકારીઓને મૃતકના નજીકના સંબંધીઓને શોધવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આનાથી તેમને દુર્ઘટના અંગે માહિતી પહોંચાડવામાં વિલંબ થયો અને મદદનું સંકલન પણ મુશ્કેલ બન્યું હતું.
દુર્ઘટના બની ત્યારે ઘણા સંબંધીઓ તેમના પરિવારજનોને શોધવા આગળ આવ્યા હતા. પરંતુ. ઈમરજન્સી નંબરની ગેરહાજરીમાં તંત્ર દ્વારા સ્થાનિક સત્તાધીશોને ખરાઈ કરવા જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું અમે કલેકટરનો સંપર્ક કર્યો અને તેમને આપવામાં આવેલા સંબંધીના સરનામાની ખરાઈ કરવા જણાવ્યું હતું. સંબંધીના નામની પુષ્ટિ થયા બાદ જ પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ પણ વાંચો…અમદાવાદ એરક્રેશ ઈફેક્ટઃ પેસેન્જર્સની પહેલી પસંદ બની 11A સીટ, જાણો ટ્રાવેલ એજન્ટ્સ પાસેથી