
અમદાવાદઃ ખૂબ જ ગંભીર અને કરૂણ કહી શકાય તેવી ઘટના અમદાવાદમાંમ બની છે. અહીં મેઘાણીનગર વિસ્તારમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયું છે, જેમાં 242 યાત્રી સવાર હતા. પ્રાથમિક માહિતી અનુસાર આ દુર્ઘટનામાં સો યાત્રીએ જીવ ગુમાવ્યા હોવાની આશંકા સેવાઈ રહી છે.
ઈજાગ્રસ્તોને સિવિલ હૉસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. ઘટનાસ્થળ આસપાસના તમામ રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને વાહનચાલકોને અન્ય રૂટનો ઉપયોગ કરવા જણાવ્યું છે.
આપણ વાંચો: અમદાવાદમાં વિમાન ક્રેશની મોટી દુર્ઘટના! મુખ્ય પ્રધાને યુદ્ધના ધોરણે મદદના આદેશ આપ્યાં
દરમિયાન ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી આ પ્લેનમાં હોવાાન સમાચાર વાયરલ થયા છે. જોકે મુસાફરોની યાદીમાં વિજય રૂપાણીનું નામ આવ્યું છે. ત્યારબાદ તેમના મામલે ખાસ કોઈ માહિતી નથી. તેઓ ઈજાગ્રસ્ત હોવાનું અને ગંભીર હોવાનું મીડિયા અહેવાલો જણાવે છે. આ મામલે સત્તાવાર માહિતી નથી.