
અમદાવાદ: શહેરમાં સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાજ્યનો સૌપ્રથમ રબર કમ બેરેજ બ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રૂ.367 કરોડના ખર્ચે બની રહેલા આ બ્રિજ પર થઈ સાબરમતીથી સદર બજાર થઈને સીધા એરપોર્ટ જઈ શકાશે. સાબરમતી અચેરથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે એક કિલોમીટરનો 1048.08 મીટર લંબાઈનો સિકસલેન બેરેજ કમ બ્રિજ બનાવાશે. બ્રિજની બંને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતા પૂર્વ અને પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવાશે. એપ્રિલ-2027 સુધીમાં પ્રોજેક્ટ પુરો થવાની સંભાવના છે.
Also read : ગુજરાતને સુરક્ષિત રાખતા પોલીસ જવાનો સામે આ છે મોટો ખતરોઃ જાણો સર્વે શું કહે છે
પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને ફાયદો
આ બ્રિજ બનવાના કારણે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારના લોકોને મોટો ફાયદો થશે. ઉત્તર ગુજરાત, સાબરમતી, ચાંદખેડા તરફથી આવતા લોકોને સીધા હવે એરપોર્ટ અથવા પૂર્વ વિસ્તાર તરફ જવું હોય તો આ બ્રિજ ઉપરથી પસાર થઈ શકાશે. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત પશ્ચિમ કાંઠે અચેરથી પૂર્વ કાંઠે કેમ્પ સદર બજાર વચ્ચે છ લેનનો બેરેજ કમ બ્રિજ બને છે, જે 1047 મીટર લાંબો છે. બંન્ને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેક્ટ કરતા પૂર્વ તેમજ પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવવામાં આવશે.
Also read : ગુજરાતમાં સરકારી કર્મચારીઓને અલ્ટીમેટમ, 31 માર્ચ સુધી મિલકતો જાહેર કરો નહીંતર…
ટ્રાફિક સમસ્યા હળવી બનશે
પશ્ચિમે ટોરેન્ટ પાવર સ્ટેશન (બીઆરટીએસ રોડ)થી પૂર્વે કેમ્પ સદર બજાર (એરપોર્ટ રોડ)ના બંને રસ્તાઓને જોડતો બ્રિજ બનવાનાં કારણે શહેરનાં પશ્ચિમ વિસ્તારો જેવા કે ચાંદખેડા, સાબરમતી, મોટેરા અને પૂર્વના હાંસોલ તથા એરપોર્ટ સાથે સીધી કનેક્ટિવિટી મળશે. જેથી ટ્રાફિક સમસ્યા ઘણી જ હળવી બનશે.