અમદાવાદમાં કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું, 16 બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ

અમદાવાદ : અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ પર પડેલી તિરાડ બાદ હવે કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે. તેમજ શહેરના અનેક બ્રિજના સ્ટ્રક્ચરની તપાસ પણ હાથ ધરી છે. તેમજ લોકોની સલામતીને ધ્યાનના રાખીને અમદાવાદ કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે. જેમાં શહેરના 16 બ્રિજ પર ભારે વાહનો પસાર થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેની માટે બ્રિજની બંને તરફ હાઈટ બેરિયર પણ લગાવવામાં આવશે.
92 બ્રિજના સ્ટ્રક્ચરની તપાસનો આદેશ
આ ઉપરાંત કોર્પોરેશન દ્વારા શહેરમાં 25 વર્ષ જુના બ્રિજનું સમારકામ પણ હાથ ધરવામાં આવશે. જેની માટે કોર્પોરેશને રૂપિયા ૩ કરોડનું ટેન્ડર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 92 બ્રિજના સ્ટ્રક્ચરની તપાસનો આદેશ આપ્યો છે. આ દરમિયાન સુભાષ બ્રિજ હવે 25 ડિસેમ્બર સુધી જાહેર અવરજવર માટે સંપૂર્ણ રીતે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે.
આ 16 બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ
| ક્રમ | પુલનું મૂળ નામ/સ્થાન | પુલનો પ્રકાર | હાલમાં પ્રચલિત નામ/અન્ય વિગત |
| 1 | કાલુપુર રેલ્વે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | મનુભાઈ પરમાર બ્રિજ |
| 2 | સરદાર પટેલ બ્રિજ-જુનો | નદી પરનો પુલ (સાબરમતી) | જુનો સરદાર પટેલ બ્રિજ |
| 3 | મહાત્મા ગાંધી બ્રિજ – જુનો | નદી પરનો પુલ (સાબરમતી) | જુનો મહાત્મા ગાંધી બ્રિજ |
| 4 | નહેરુ બ્રિજ | નદી પરનો પુલ (સાબરમતી) | – |
| 5 | પરીક્ષિત મજમુદાર બ્રિજ | નદી પરનો પુલ (સાબરમતી) | – |
| 6 | સુભાષ બ્રિજ | નદી પરનો પુલ (સાબરમતી) | – |
| 7 | બાબુ જગજીવનરામ રેલવે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | ગીરધર નગર બ્રિજ |
| 8 | બાબાસાહેબ આંબેડકર રેલ્વે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | ચામુંડા બ્રિજ |
| 9 | ચીમનભાઈ પટેલ રેલ્વે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | – |
| 10 | કેડિલા રેલ્વે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | – |
| 11 | નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | – |
| 12 | સરદાર પટેલ બ્રિજ પહોળો કરેલો | નદી પરનો પુલ (સાબરમતી) | નવો સરદાર પટેલ બ્રિજ |
| 13 | ચાંદલોડિયા રેલ્વે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | પંડિત દીનદયાળ બ્રિજ |
| 14 | સ્વામી વિવેકાનંદ પહોળો કરેલો બ્રિજ | નદી પરનો પુલ (સાબરમતી) | નવો સ્વામી વિવેકાનંદ બ્રિજ |
| 15 | મહાત્મા ગાંધી બ્રિજ પહોળો કરેલો | નદી પરનો પુલ (સાબરમતી) | નવો મહાત્મા ગાંધી બ્રિજ |
| 16 | શ્યામાપ્રસાદ મુખર્જી રેલવે ઓવરબ્રિજ | રેલ્વે ઓવરબ્રિજ | જીવરાજ બ્રિજ |
ગાંધી બ્રિજ અને સરદાર બ્રિજ પર પણ ભારે વાહનો માટે પ્રતિબંધ
અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભારે વાહનો માટે પ્રતિબંધ મુકવામાં આવેલા બ્રિજમાં શહેરના સૌથી જુનો ગાંધી બ્રિજ જે વર્ષ 1942માં બન્યો હતો અને સરદાર બ્રિજ જે વર્ષ 1940માં બન્યો હતો તેનો પણ સમાવેશ થાય છે. તેમજ વર્ષ 1962 માં બનેલા નહેરુ બ્રિજ અને વર્ષ 1968 માં બનેલા પરીક્ષિત મજુમદાર બ્રિજ પર ભારે વાહનોને પણ પ્રતિબંધિત કરવામાં આવશે. જયારે વર્ષ 1875 માં બનેલા કાલુપુર રેલ્વે ઓવરબ્રિજ પર હાઈટ બેરિયર લગાવવામાં આવશે, જ્યારે અન્ય જૂની ઇમારતો પર વાહનચાલકોને ભાર મર્યાદાની ચેતવણી આપતા નવા સંકેતો લગાવવામાં આવશે.
આ પણ વાંચો…અમદાવાદ બનશે બ્રિજ સિટી, જાણો કેટલા કરોડનો થશે ખર્ચ



