અમદાવાદ

વડોદરા બાદ અમદાવાદમાં નશામાં ધૂત પોલીસકર્મીએ સર્જ્યો અકસ્માત

અમદાવાદઃ ગુજરાતમાં વધુ એક પોલીસકર્મીએ નશામાં અકસ્માત સર્જ્યો હતો. વડોદરા બાદ અમદાવાદમાં આ ઘટના બની હતી. રાણીપમાં બકરા મંડી પાસે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં પોલીસકર્મીએ અકસ્માત સર્જ્યો હતો. નશામાં ચૂર કાર ચાલકે 5 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

થોડા દિવસો અગાઉ અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર વડોદરા નજીક છાણી બ્રિજ પાસે રાત્રે બ્રેઝા કારના ચાલક પીએસએ નશામાં ધૂત થઇને 3 વાહનોને અડફેટે લીધા હતા. જેને પગલે છાણી પોલીસે આરોપી પીએસઆઈની ઘરપકડ કરી હતી. આ ઘટના બાદ નર્મદા જિલ્લા એસપીએ પીએસઆઈ યોગેન્દ્રસિંહ હરીસિંહ પઢીયારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા હતા અને તેની સામે ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી હતી.

આપણ વાંચો:  ગુજરાતમાં આગામી 6 જુન સુધી વરસાદની આગાહી, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવા ઝાપટાં આવશે

ઉલ્લેખનીય છે કે અમદાવાદ સહિત રાજ્યભરમાં અકસ્માતોની ઘટના છાશવારે બની રહી છે ત્યારે શહેરના સાઉથ બોપલમાં આવેલ વીઆઈપી રોડ પર બે દિવસ પહેલા અકસ્માત સર્જાયો હતો. નશામાં ધૂત બનેલા કાર ચાલકે એક્ટિવા ચાલક મહિલાને અડફેટે લીધી હતી. નવાઈની બાબાત એ પણ હતી કાર ચાલકે અકસ્માત કર્યા બાદ કથિત રીતે પોતાની પીઆઈ તરીકેની ઓળખ પણ આપી હતી. અકસ્માતને પગલે ટોળું એકઠું થઈ જતાં ચાલકે પૈસા આપીને પતાવટની ઓફર કરી હતી. આ ઘટના બાદ સ્થાનિક અને કારચાલકના સંવાદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button