દિલ્હી પછી ગુજરાતના વાતાવરણમાં પલટોઃ અમદાવાદમાં હળવો વરસાદ

અમદાવાદ: પાટનગર દિલ્હી સહિત ઉત્તર ભારતના વાતાવરણમાં પલટો આવ્યા પછી ગુજરાતમાં સાંજ પછી એકાએક વાતાવરણમાં ફેરફાર થયો હતો. અમદાવાદ શહેરમાં આજે મોડી સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટા પડ્યા હતા. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આઈપીએલ મેચમાં પણ વિલંબ થયો છે, જેના કારણે ક્રિકેટ ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.
આજે આખો દિવસ રહેલા વાદળછાયા અને ઉકળાટ ભરેલા વાતાવરણ બાદ સાંજના સમયે શહેરના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાંપટા પડ્યા હતા. શહેરના એસ.જી. હાઈવે, ગોતા, સાબરમતી, ચાંદખેડા, પ્રહલાદનગર, પકવાન ચાર રસ્તા, માનસી સર્કલ, શિવરંજની, ડ્રાઈવ ઈન રોડ સહિતના વિસ્તારોમા વરસાદી છાંટા પડ્યા હતા. પવન સાથે પડેલા વરસાદી છાંટાને કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો: કોલકાતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઉમેરાશે આ અનોખું આકર્ષણ
અચાનક શરૂ થયેલા વરસાદને કારણે શહેરના કેટલાક મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી હતી, જેના પરિણામે વાહનચાલકોને લાંબા સમય સુધી અટવાઈ રહેવું પડ્યું હતું. ચોમાસાના સત્તાવાર આગમન પહેલા જ પડેલા આ વરસાદથી નાગરિકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી છે, પરંતુ IPL મેચના વિલંબથી ક્રિકેટ રસિકોનો ઉત્સાહ થોડો ઓછો થયો