ભચાઉ

હૃદય કંપાવનારી ઘટના: ભચાઉ નજીક ઉકરડામાંથી નવજાત શિશુ મળી આવ્યું; સ્થાનિકોએ બચાવ્યું…

ભુજ: મમતા અને માતૃત્વની પવિત્રને દર્શાવતી માં તે માં, બીજા બધા વગડાના વા” કહેવત આજના કળયુગમાં ક્યારેક ખોટી સાબિત થતી હોય તેવી કાળજું કંપાવી દેનારી ઘટના ભચાઉના લાકડીયા ગામ નજીકની રામદેવપીર વાંઢ ખાતેથી બહાર આવવા પામી છે જેમાં ૪૦ ડિગ્રીના તાપ વચ્ચે નિષ્ઠુર હૃદયની માતા દ્વારા મરવા માટે ઉકરડામાં ફેંકી દીધેલું બાળક આસપાસના સ્થાનિકોને મળી આવતાં અરેરારી ફેલાઈ છે.

ઉકરડામાંથી નાનકડાં બાળકના રુદનનો અવાજ
ઘટના અંગે જાણવા મળેલી વિગતો પ્રમાણે, રામદેવપીર વાંઢ ખાતે ઉકરડામાંથી નાનકડાં બાળકના રુદનના અવાજે સ્થાનિકોનું ધ્યાન ખેંચ્યું હતું. તપાસ કરતાં સવા માસનું શિશુ ગાયના છાણમાં ફસાયેલી હાલતમાં એકલું પડેલું જોવા મળ્યું હતું. શિશુને તાત્કાલિક રહેણાંક મકાનમાં લઇ જવાયું હતું અને બનાવ અંગે સ્થાનિક પોલીસને જાણકારી આપવામાં આવી હતી.

વાંઢમાં રહેતા હેમરાજ કોલીએ સ્થાનિક મહિલાઓના સહયોગથી તેને તાત્કાલિક ધોરણે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યું હતું અને નાનકડાં શિશુને મરવા માટે ઉકરડાના હવાલે કરી જનારી અજાણી માતા વિરુદ્ધ લાકડીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હાલ આઈસીયુમાં સારવાર મેળવી રહેલાં બાળકની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.
Back to top button