આપણું ગુજરાત

ભાજપના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમાર ગ્રામ પંચાયતની ચૂંટણી હાર્યા

અમદાવાદ: કડી અને વિસાવદરની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપને આઘાત લાગ્યો હતો. ભાજપે પોતાની તમામ શક્તિ કામે લગાડી હતી તેમ છતાં વિસાવદર સીટ હારી ગયું હતું. ત્યારે ગુજરાતમાં 4564 ગ્રામ પંચાયતોના સરપંચ અને સભ્યોની ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું. અત્યાર સુધીમાં કુલ 751 ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ હતી.

અરવલ્લી જિલ્લાના મોડાસા વિધાનસભા મતવિસ્તારના ભાજપ ધારાસભ્ય અને રાજ્યકક્ષાના પ્રધાન ભીખુસિંહ પરમારના પુત્ર અને સરપંચ પદના ઉમેદવાર કિરણસિંહ પરમારની ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી શક્યા નહોતા. ભાજપની રકાસ સ્થિતિનો તાગ ગ્રામપંચાયતમાંથી જ મેળવી શકો છો. મોડાસાના જીતપુર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર મંગળસિંહ પરમારની જીત થઇ હતી. જીતપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં ભીખુસિંહ પરમાર 2 ટર્મ સુધી સરપંચ રહ્યા હતા. વિજેતા ઉમેદવાર મંગળસિંહ પરમારને 1374 મત મળ્યા હતા જ્યારે કિરણસિંહ ભીખુસિંહ પરમારને માત્ર 751 મત મળ્યા હતા. સરપંચના ઉમેદવાર કિરણસિંહ પરમાર સહિત વોર્ડ સભ્યની આખી પેનલ હારી ગઇ હતી. રાજ્ય સરકારના પ્રધાન પુત્રની હાર થતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના એક ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી ક્યારેય યોજાઈ નથી, જાણો શું છે ખાસિયત?

અત્રે ઉલ્લેખનીય છે કે, ધારાસભ્ય ભીખુસિંહ પરમાર ન માત્ર ભાજપનાં ધારાસભ્ય છે પરંતુ ગુજરાત સરકારમાં રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠ્ઠાના પ્રધાન પણ છે. છેલ્લા 20 વર્ષથી ગ્રામ પંચાયતમાં રાજ કરતા પ્રધાન ભીખુસિંહ પરમારના પરિવારની આ વખતે હારનો સ્વાદ ચાખવો પડ્યો છે કિરણસિંહ પરમારને મળેલ મત – 751 જયારે વિજેતા ઉમેદવાર મંગળસિંહને મળેલ મત – 1374 મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button