આપણું ગુજરાત

Reliance Mallમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, મુંબઈથી અનંત અંબાણી દોડી આવ્યા

જામનગર: Jamnagar નજીક મોટી ખાવડી પાસે રિલાયન્સ મોલમાં ગતરાતે આશરે 10 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી હતી (Reliance Mall Fire Jamnagar). જે 30 જેટલા ફાયર ફાઇટરની જહેમત બાદ સવારે 5 વાગ્યે કાબુમાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં જ જામનગરથી ફાયર ફાઈટરની ટીમ રવાના કરવામાં આવી હતી. વિકરાળ આગને લઈને મોલની અંદર અને બહાર રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.

આ મોલની નજીક જ જામનગર-ખંભાળિયા હાઈવે આવેલો છે. ટ્રાફિક જામ સર્જાય નહીં તે માટે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઉચ્ચ અધિકારીઓએ સહિત મોટી સંખ્યાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના સમાચાર બહાર નથી આવ્યા.

જો ઘટનાની વાત કરવામાં આવે તો, રિલાયન્સના પ્રવક્તાના જણાવ્યાં અનુસાર, મોટી ખાવડીમાં આવેલા રિલાયન્સ મોલમાં દિવસનું કામકાજ પૂર્ણ કરીને મોલ બંધ થયા બાદ આગ લાગી છે. તેમાં કોઇ જાનહાની થઈ નથી કે કોઇને ઇજા પણ થઈ નથી. આર.આઇ.એલ.ના ફાયર ટેન્ડરની સાથે જામનગર ડિસ્ટ્રીક્ટ ઓથોરીટી અને ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેઓ આગને કાબુમાં લાવવા પ્રયાસ કર્યા હતા.

મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી ખાવડી પાસેના રિલાયન્સ મોલમાં આગની જાણ થતાં મોડી રાત્રે જામનગર પહોંચ્યા હતા. તેમજ રિલાયન્સ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણી સહિત રિલાયન્સના અનેક ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ