આપણું ગુજરાત

યાત્રીગણ કૃપા કરી ધ્યાન આપેઃ ગુજરાતની આ ટ્રેનના રૂટમાં થયો છે ફેરફાર

દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનના કાઝીપેટ-બલ્હારશાહ સેક્શનના માકુડી-સિરપુર ટાઉન-સિરપુર કાગજનગર સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇન કમિશ્નિંગ અંગે પ્રી-નોન ઇન્ટરલોકિંગ/નોન ઇન્ટરલોકિંગ કામગીરીને કારણે ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ અને અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેનો પરિવર્તત માર્ગે દોડશે. જેથી પ્રવાસીઓ તેની નોંધ લે તેમ રેલવેએ જણાવ્યું હતું.

  1. 24 સપ્ટેમ્બર 2023 ના રોજ ગાંધીધામથી ઊપડનારી ટ્રેન નંબર 20804 ગાંધીધામ-વિશાખાપટ્ટનમ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ બલ્હારશાહ-વિજયવાડા-વિશાખાપટ્ટનના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા નાગપુર-ગોંદીયા-રાયપુર-ટિટિલાગઢ-વિજયનગરમના માર્ગે ચાલશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહૃ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલકોટ-દુવ્વાડા સ્ટેશનો પર નહીં જાય.
  2. 14 અને 21 સપ્ટેમ્બર 2023ના રોજ વિશાખાપટ્ટનમથી ઊપડનારી ટ્રેન નંબર 20803 વિશાખાપટ્ટનમ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિશાખાપટ્ટનમ-વિજયવાડા-બલ્હારશાહના સ્થાને પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-ટિટિલાગઢ-રાયપુર-ગોંદિયા-નાગપુરના માર્ગે દોડશે. આ ટ્રેન ચંદ્રપુર-બલ્હારશાહ-સિરપુર કાગજનગર-રામગુંડમ-વારંગલ-ખમ્મમ-વિજયવાડા-એલુરુ-રાજમંડ્રી-સામલોકટ-દુવ્વાડા સ્ટેશનો પર રોકાશે નહીં.
  3. 24 સપ્ટેમ્બર 2023ના રોજ પુરીથી ઊપડનારી ટ્રેન નંબર 20819 પુરી-ઓખા એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિજયવાડા-વારંગલ-બલ્હારશાહ-બડનેરા-અકોલા-અમદાવાદને બદલે પરિવર્તિત માર્ગ વાયા વિજયનગરમ-ટિટિલાગઢ-રાયપુર-નાગપુર-વર્ધાના માર્ગે દોડશે. આ ટ્રેન વિશાખાપટ્ટનમ-અનકાપલ્લી-સામલકોટ-રાજમંડ્રી-એલુરુ-વિજયવાડા-વારંગલ-રામગુંડમ-મંચિર્યાલ-સિરપુરકાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર સ્ટેશનો પર નહીં જાય.
  4. 21 થી 25 સપ્ટેમ્બર 2023 સુધી અમદાવાદથી ઊપડનારી ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ સુરત-ભુસાવળ-બડનેરા-બલ્હારશાહ-વારંગલ-વિજયવાડાને સ્થાને પરિવર્તિત માર્ગ વાયા અકોલા-પૂર્ણા-નિઝામાબાદ-પેદદ્દપલ્લીના રસ્તેથી જશે. આ ટ્રેન મંચિર્યાલ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વરોરા-હિંગણઘાટ-વર્ધા-પુલગાંવ-ધામનગાંવ-બડનેરા-મુર્તિઝાપુર સ્ટેશનો પર જશે નહીં.
  5. 21 થી 26 સપ્ટેમ્બર 2023 સુધી એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલથી ઊપડનારી ટ્રેન નંબર 12656 એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ-અમદાવાદ નવજીવન એક્સપ્રેસ ટ્રેન તેના નિર્ધારિત માર્ગ વિજયવાડા-વારંગાલ-બલ્હારશાહ-બડનેરા-ભુસાવળ-સુરતના સ્થાને પરિવર્તિત માર્ગ પેદદ્દપલ્લી-નિઝામાબાદ-પૂર્ણા-અકોલાના માર્ગે દોડશે. આ ટ્રેન મંચિર્યાલ-સિરપુર કાગજનગર-બલ્હારશાહ-ચંદ્રપુર-વરોરા-હિંગણઘાટ-વર્ધા-પુલગાંવ-ધામનગાંવ-બડનેરા-મુર્તિઝાપુર સ્ટેશનો પર જશે નહીં.

    ⦁ 20 સપ્ટેમ્બર 2023 સુધીની ટ્રેન નંબર 12655 અમદાવાદ-એમજીઆર ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ અને ટ્રેન નંબર 20820 ઓખા-પુરી એક્સપ્રેસ સિરપુર કાગજનગર સ્ટેશનો પર રોકાશે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button