આપણું ગુજરાત

સુરત એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું વડા પ્રધાનનાં હસ્તે લોકાર્પણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: સુરત હવાઈ મથક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રૂ.૩૫૩ કરોડના ખર્ચે તૈયાર થયેલા નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કરાયું હતું. સમગ્ર ભવનનું નિરીક્ષણ કરી વડા પ્રધાને તેની ડિઝાઇન તેમજ તેની આગવી વિશેષતાઓ અંગેની વીડિયો ક્લિપ નિહાળી હતી. કુલ ૨૫,૫૨૦ ચો.મીટરમા વિસ્તરેલા અને હાલમાં જ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજજો પામેલું સુરત એરપોર્ટ પરંપરા અને આધુનિકરણનો શ્રેષ્ઠ નમૂનો છે.

એરપોર્ટ પર બમણી ઇન્સ્યુલેટેડ રૂફિંગ પ્રણાલી, ઊર્જાની બચત માટે કેનોપી, એલ ઈ ડી લાઇટ, લો ફિટ ગેઇન ડબલ ગલેઝિંગ, વરસાદી પાણીના સંગ્રહણી વ્યવસ્થા તેમજ સુએઝ ટ્રીટમેન્ટ એકમ એરપોર્ટની વિશેષતાઓ દર્શાવે છે. સાથે જ ટર્મિનલનો વધારાનો ભાગ કાચ, સ્ટીલ, મેટલ અને ફ્લાય એશ ઈંટ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. મુસાફરો માટે ૨૦ ચેક-ઈન કાઉન્ટર, ૫ એરોબ્રિજ, ૧૩ ઈમિગ્રેશન કાઉન્ટર, ૫૦૦ કાર પાર્કિંગ જેવી સુવિધા ઉપલબ્ધ છે. વિસ્તરણ પછી સુરત એરપોર્ટ પીક અવર્સ દરમિયાન પ્રતિ કલાક ૧૮૦૦ મુસાફરો અને વાર્ષિક ૩૫ લાખ મુસાફરોને સેવા આપવા સક્ષમ બનશે.

સુરત અને ગુજરાતની સંસ્કૃતિ, સ્થાનિક પરિવેશ અને પરંપરાને આર્ટ વર્ક દ્વારા ઉજાગર કરવા માટે ડિઝાઈન કરાયેલા ટર્મિનલ બિલ્ડિંગનો અગ્રભાગ સુરત શહેરના રાંદેર વિસ્તારના કાષ્ટની જૂનીપુરાણી વસાહતોમાંથી પ્રેરણા લઈને તૈયાર કરાયો છે. ટર્મિનલના આંતરિક ભાગમાં રોગનની સ્થાનિક કળા કલાકૃતિ, જરી અને બ્રોકેડ જેવા ભરતકામ, લાકડાની સુંદર કોતરણી તેમજ ગુજરાતના લોકપ્રિય પતંગોત્સવને દર્શાવતા મોઝેકકાર્યનું ચિત્રણ કરાયેલું છે.

હાલ સુરત એરપોર્ટ દિલ્હી, ચેન્નઈ, બેંગલુરુ, કોલકતા, હૈદરાબાદ, ગોવા, ગોવા (મોપા), પુણે, દીવ,બેલગાવી, ઈન્દોર, ઉદયપુર, જયપુર અને કિશનગઢ જેવાં ૧૪ રાષ્ટ્રીય શહેરો અને આંતરરાષ્ટ્રીય રીતે શારજાહ મારફતે વિશ્ર્વના બાકી ભાગો સાથે જોડાયેલું છે. અને સપ્તાહ દીઠ ૨૫૨થી વધુ પેસેન્જર ફ્લાઈટની અવરજવર થાય છે. તેમજ હવે આંતરરાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થતા યાત્રી અવરજવર તેમજ કાર્ગો સંચાલનમાં વધારા સાથે સુરતને વ્યાપારિક અને આર્થિક ક્ષેત્રે વિકાસની નવી તકો પ્રાપ્ત થશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો