આપણું ગુજરાત

અઠવાડિયામાં બીજી વાર આઈએએસ અધિકારીઓની બદલી

ગાંધીનગરઃ ગયા મંગળવારે 13 અધિકારીની બદલી થઈ હતી, ત્યારબાદ આજે ફરી બદલી થઈ હતી. ગુજરાતમાં બે આઈએએસ અધિકારીની બદલી અને નિમણૂક કરવામાં આવી હતી. અમરેલી કલેકટર અજય દહિયાની બદલી પંચમહાલના કલેકટર તરીકે કરવામાં આવી હતી. જ્યારે આઈએએસ વિકલ્પ ભારદ્વાજની અમરેલીના કલેકટર પદે નિમણૂક કરવામાં આવી હતી.

હાલ અમરેલીના કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ અજય દહિયા ગુજરાત કેડરના IAS અધિકારી છે. અગાઉ તેઓ બનાસકાંઠા-પાલનપુરના જિલ્લા વિકાસ અધિકારી અને ભાવનગરના પ્રાદેશિક નગરપાલિકા કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.

આ પણ વાંચો: ગુજરાતમાં એકસાથે 16 આઈએએસ અધિકારીની બદલી, જોઈ લો યાદી…

તાજેતરમાં થઈ હતી 13 આઈએએસની બદલી

થોડા દિવસ પહેલા રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 13 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. આ અંગે મોડીસાંજે સત્તાવર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. અશ્વિની કુમારને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાંથી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. એમ. થેનારસનને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગમાંથી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગમાં પ્રિન્સિપલ સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. રાજકોટ કલેક્ટર પ્રભવ જોશીની બદલી કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગર પાલિકાની કમિશનર ઓમ પ્રકાશની રાજકોટ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button