66 kilovolt (KV) લાઈન હજુ કેટલા ભોગ લે છે?

રાજકોટ: રાજકોટ ના જુદા જુદા સામાજિક ગ્રુપો અને લતાવાસીઓ દ્વારા સ્મશાન ની રાખ અને માટલી લઈને રજુઆત કરવામાં આવી હતી પી.જી.વી.સી.એલ કચેરી ખાતે આ રાખ છે.શુ અમારી પણ આની જેમ ખાખ થવાની રાહ જોવે છે.તંત્ર ઘર ઉપર થી 66 કે.વી. ની વીજ લાઇન પસાર થાય છે જે1 બાળક નો અને એક મહિલા નો ભોગ લઈ ચુકી છે.
આ પણ વાંચો: રાજકોટ અગ્નિકાંડનો ધખધખતો રિપોર્ટ થઈ રહ્યો છે તૈયારઃ બે દિવસમાં રજૂ કરાય તેવી સંભાવના
સવારના વાર રજુઆત કરવા છતાં કોઈ પગલા લેવામાં આવતા નથી. શુ હજુ વધુ ટી આરપી ગેમ ઝોન જેવા અણ બનાવ ની રાહ જોઈ રહી છે પી જી વી સી એલ?

રાજકોટ પુનિત નગર , કર્મચારી નગર 5/10 ના ખૂણે રહેતા પરીવાર ની વેદના, ઘર હોવા છતાં બીક ના હિસાબે અગાસી ઉપર નથી જઇ શકતા, બાળકોને તો શું મોટા પણ નથી જઇ શકતા ઘર ની ઉપર. એકદમ સાવ નીચે થી પસાર થાય છે વીજ લાઇન
આવી પરિસ્થિતિમાં હજુ કોઈના જીવનો ભોગ લેવાશે તો આનુ જવાબદાર કોણ?
અમારી માંગ એજ છે કે વીજ વાયર ને ઉંચો લેવામાં આવે કે દુર કરવામાં આવે.