આપણું ગુજરાત

જયસુખ પટેલના વચગાળાના જામીન પર ત્વરિત સુનાવણીની માગ કરતી અરજી હાઇકોર્ટે ફગાવી

ગત વર્ષે ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. આ કેસના મુખ્ય આરોપી ઓરેવા ગૃપના મેનેજિંગ ડિરેક્ટર જયસુખ પટેલે દાખલ કરેલી વચગાળાના જામીન અરજી પર ત્વરિત સુનાવણીની માગ કરતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે.

ન્યાયાધીશ દિવ્યેશ જોશીની અદાલતમાં જયસુખ પટેલના વકીલ નિરુપમ નાણાવટી દ્વારા તેમના
અસીલની નિયમિત જામીન અરજી પેન્ડિંગ રખાતા વચગાળાના જામીન મેળવવાની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર ત્વરિત સુનાવણીની માગ કરતી અરજી કોર્ટે ફગાવી દીધી છે આથી હવે 27 ઑક્ટોબરના રોજ જ્યારે નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે ત્યારે આ અરજી પર આગળની કાર્યવાહીની કોર્ટે મુદત આપી છે.


ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો બ્રિટિશ સમયનું બાંધકામ ધરાવતો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો, આ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા અને 56 લોકો ઘાયલ થયા હતા. રાજકોટમાં મુખ્ય મથક ધરાવતું ઓરેવા ગૃપ આ પુલની જાળવણી અને સંચાલન માટે જવાબદાર હતું.


રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી વિશેષ તપાસ ટીમ (SIT) એ દુર્ઘટનામાં ઓરેવા જૂથની ભૂમિકા અંગેના તેના અહેવાલમાં કંપની દ્વારા “ગંભીર વહીવટી અને તકનીકી ખામીઓ” સર્જાઇ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.


SIT એ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, બ્રિજ દુર્ઘટના એ સરકારી ધારાધોરણો મુજબ યોગ્ય પ્રક્રિયાને અનુસરવામાં વહીવટી સ્તરે કંપની દ્વારા થયેલી ક્ષતિઓનું પરિણામ હતું, અને પુલની મરામત કરવામાં અને તેને લોકો માટે ખોલતા પહેલા તેનું પરીક્ષણ કરવામાં તકનીકી અસમર્થતાના કારણે ઘટના ઘટી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…