આપણું ગુજરાતટોપ ન્યૂઝ

આ રહી પીએમના ગુજરાત પ્રવાસની સઘળી વિગતો, રૂ. 5800 કરોડના વિકાસકાર્યોની આપશે ભેટ

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે અંબાજી મંદિરમાં તેમનું આદિવાસી પરંપરા મુજબ સ્વાગત કરવામાં આવશે. આદિવાસી લોકનૃત્ય અને આદિવાસી ભજન દ્વારા સ્વાગત કરવામાં આવશે.દાંતા તાલુકાના મંડાલી અને સનાલી ગામના લોકો આદિવાસી પરંપરા પ્રમાણે સ્વાગત કરશે. વડાપ્રધાન અંબાજી માતાના દર્શન કરવા જશે તે માટે જડબેસલાક બંદોબસ્ત ગોઠવાયો છે. 31મી ઓક્ટોબરે સવારે 8 વાગ્યાની આસપાસ તેઓ કેવડિયાની મુલાકાત લેશે જ્યાં તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરશે, જે બાદ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે. તેઓ અનેક પરિયોજનાઓનો શિલાન્યાસ અને ઉદઘાટન પણ કરશે. ત્યારબાદ સવારે 11:15 વાગ્યે તેઓ આરંભ 5.0માં 98માં કોમન ફાઉન્ડેશન કોર્સના તાલીમાર્થી અધિકારીઓને સંબોધન કરશે.

વડાપ્રધાનના હસ્તે ગુજરાતમાં રૂ.5950 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ તથા ખાતમૂહુર્ત કરવામાં આવશે. જેમાં ભારતીય રેલવે, ગુજરાત રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન, જળ સંસાધન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને મકાન વિભાગ તેમજ શહેરી વિકાસ વિભાગના વિકાસકાર્યોનો સમાવેશ થાય છે.

મહેસાણા જિલ્લાના ડાભોડામાં સવારે 11 વાગ્યાથી કાર્યક્રમોની શરૂઆત થશે. મહેસાણા, અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાના 16 પ્રકલ્પોમાંથી આઠનું લોકાર્પણ અને આઠ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

રેલવે વિભાગના મહત્વપૂર્ણ વિકાસ કાર્યોમાં મહેસાણાના ન્યૂ ભાંડુથી ન્યૂ સાણંદ સુધીનો વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર સેક્શન, 77 કિમી બીજી ઇલેક્ટ્રિફાઇડ ડબલ લાઇન અને 24 કિલોમીટર લાંબી કનેક્ટિંગ લાઇન્સનું લોકાર્પણ કરવામાં આવશે. તે સિવાય વિરમગામથી સામખિયાળી સુધીની 182 કિ.મી લાંબી રેલવે લાઈનનું બે ટ્રેકમાં વિસ્તરણ કરવામાં આવ્યું છે, તેનું પણ વડા પ્રધાન લોકાર્પણ કરશે. આ ટ્રેક અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લાને આવરી લેશે.
આ સિવાય ગુજરાત રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન તરફથી મહેસાણામાં કટોસણ-બેચરાજી વચ્ચેના 29.65 કિલોમીટર રેલવે પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના લીધે માંડલ-બેચરાજીના વિશેષ રોકાણ ક્ષેત્ર(સર)માં કાર્યરત કંપનીઓને ફાયદો થશે. રેલવે વિભાગના આ તમામ પ્રોજેકટનું મૂલ્ય 5130 કરોડ રૂપિયા છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં વિજાપુર અને માણસા તાલુકાના ડેલ્ટા વિસ્તારમાં વિવિધ તળાવોના રિચાર્જ માટેના કાર્યો અને સાબરમતી નદી પર વાસણા બેરેજના નિર્માણ માટેના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. એ પછી મહીસાગર જિલ્લામાં પાનમ જળાશય આધારિત લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત વડા પ્રધાનના હસ્તે થનાર છે, જે સંતરામપુર તાલુકાના વિવિધ તળાવોને જોડશે. આ તમામ પ્રકલ્પનું મૂલ્ય 270 કરોડ રૂપિયા છે.

પાણી અને પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું બનાસકાંઠામાં લોકાર્પણ કરવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં પાલનપુર ગ્રુપ પેકેજ 1 અને પાલનપુર ગ્રુપ પેકેજ 2ના કાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ધરોઈ ડેમ આધારિત 80 એમએલડી ક્ષમતાના જળ શુદ્ધિકરણ પ્લાન્ટનું પણ લોકાર્પણ કરવામાં આવશે. આની સાથે જ મહેસાણામાં ધરોઈ ઓગ્મેન્ટેશન પાર્ટ-2 કામગીરીનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 210 કરોડ છે.

સાબરકાંઠા જિલ્લામાં નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ફોરલેન કરવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રકલ્પનું મૂલ્ય ₹ 170 કરોડ છે. જ્યારે શહેરી વિકાસ વિભાગ તરફથી ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને મહેસાણામાં વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેમાં ગાંધીનગરમાં કલોલ નગરપાલિકાના ગટર મેનેજમેન્ટના વિસ્તરણનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવશે. પાટણના સિદ્ધપુરમાં 13.50 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, બનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા માટે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સાબરકાંઠામાં બાયડમાં 05.07 એમએલડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહેસાણાના વડનગરમાં ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ તમામ પ્રકલ્પોનું કુલ મૂલ્ય ₹ 170 કરોડ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…